Vastu Upay: કપૂરના ઉપાય આ વિધિથી કરશો તો ફળશે, જીવનમાં ક્યારેય નહીં આવે પૈસાની તંગી
Vastu Ke Achuk Upay: જો તમારા કામ બનતા બનતા બગડી જાય છે, જીવનમાં આર્થિક સમસ્યા રહે છે, કરિયરમાં ગ્રોથ નથી મળતો તો આ વિધિથી કપૂરનો ઉપાય કરવા લાગો. આ ઉપાય કરવાથી તમને જીવનમાં ફેરફાર જોવા મળશે.
Trending Photos
Vastu Ke Achuk Upay: સનાતન ધર્મમાં પૂજા પાઠ કરતી વખતે કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કપૂર નો ઉપયોગ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે પૂજા દરમિયાન કપૂર સળગાવાથી તેમાંથી જે સુગંધ અને ધુમાડો નીકળે છે તે નકારાત્મક ઊર્જાને દૂર કરે છે અને પોઝિટિવ એનર્જીનો સંચાર કરે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા પાઠ કરવા ઉપરાંત ઘરમાંથી વાસ્તુદોષ અને જીવનની સમસ્યાઓને દૂર કરવા માટે પણ કપૂરના ઉપાય કરી શકાય છે. આજે તમને કપૂરના આવા જ કેટલાક ચમત્કારી ઉપાયો વિશે જણાવીએ જેને યોગ્ય વિધિથી કરવામાં આવે તો ફાયદો ચોક્કસથી થાય છે.
સમૃદ્ધિ માટે ઉપાય
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિ આર્થિક તંગીથી પરેશાન હોય અને ધન, સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગતી હોય તો રોજ સવારે અને સાંજે ઘરના અગ્નિ ખૂણામાં ઊભા રહીને કપૂર સળગાવવું. કહેવાય છે કે આ રીતે કપૂર સળગાવવાથી આવકના નવા સ્ત્રોત બનવા લાગે છે અને ઘરમાં વૈભવ વધે છે.
સમસ્યાઓ દૂર કરવા
ધાર્મિક વિદ્વાનો અનુસાર જો કઠોર પરિશ્રમ કર્યા પછી પણ મહેનતનું ફળ ન મળતું હોય અને બનતા કામ અટકી જતા હોય તો એક વાટકીમાં લવિંગ અને કપૂર નિયમિત સળગાવી અને આખા ઘરમાં તેનો ધુમાડો ફેલાવો.
વાસ્તુદોષ દૂર કરવા
ઘરમાં વાસ્તુદોષ હોય તો તેને દૂર કરવા માટે ઘરના દરેક રૂમમાં એક એક કપૂરનો ટુકડો રાખવો. ધીરે ધીરે કપૂર જાતે જ ઓગળી જાય છે જ્યારે કપૂર ખતમ થઈ જાય તો ફરીથી નવું કપૂર રાખી દેવું.
સુખ શાંતિ માટે ઉપાય
જો કોઈ વ્યક્તિના ઘરમાં સુખ શાંતિ ન રહેતી હોય અને વારંવાર લડાઈ ઝઘડા થતા હોય તો તેને ઘરમાં રોજ સવારે અને સાંજે કપૂરને દેશી ઘીમાં પલાળીને સળગાવવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા વધે છે અને ઘરનું વાતાવરણ શુદ્ધ થાય છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે