ગુજરાતી ન્યૂઝSpiritualChaturmas 2025: 6 જુલાઈ અને રવિવારથી શરુ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો આ પવિત્ર માસમાં શું કરવું અને શું નહીં

Chaturmas 2025: 6 જુલાઈ અને રવિવારથી શરુ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો આ પવિત્ર માસમાં શું કરવું અને શું નહીં

Chaturmas 2025: 6 જુલાઈ 2025 અને રવિવારે દેવશયની એકાદશી છે અને આ દિવસથી જ ચાતુર્માસ શરુ થશે. દેવશયની એકાદશી પર દેવ પોઢી જાય છે અને ત્યારપછી ચાતુર્માસ શરુ થાય છે. આ સમય દરમિયાન શું કરવું અને શું નહીં ચાલો જાણીએ.
 

Chaturmas 2025: 6 જુલાઈ અને રવિવારથી શરુ થઈ રહ્યો છે ચાતુર્માસ, જાણો આ પવિત્ર માસમાં શું કરવું અને શું નહીં

Chaturmas 2025: દર વર્ષે અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીને દેવશયની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુ ચાર માસની યોગ નિદ્રામાં જાય છે અને ત્યારથી ચાતુર્માસ શરુ થાય છે. ભગવાન વિષ્ણુની યોગ નિદ્રાના ચાર માસના સમયને ચાતુર્માસ કહેવામાં આવે છે. આ સમય દરમિયાન સૃષ્ટિનું સંચાલન મહાકાલના હાથમાં હોય છે. 

Add Zee News as a Preferred Source

આ વખતે દેવશયની એકાદશી 6 જુલાઈ અને રવિવારે છે. તેથી ચાતુર્માસનો પ્રારંભ પણ 6 જુલાઈથી માન્ય રહેશે. ચાતુર્માસ દરમિયાન કોઈપણ શુભ કાર્ય કરવાની મનાઈ હોય છે. આ સમયમાં શુભ કાર્યો કરવાથી આર્થિક સમસ્યા થઈ શકે છે. 4 મહિનાના આ સમયમાં શું કરવું અને શું નહીં ચાલો જાણીએ.

ચાતુર્માસમાં શું ન કરવું ?

- ચાતુર્માસમાં લગ્ન, સગાઈ, ભુમિ પૂજન, મુંડન, વાસ્તુ, જનોઈ જેવા શુભ કાર્ય કરવા અશુભ ગણાય છે. 
- ચાતુર્માસમાં નવા કાર્યની શરુઆત કરવાની પણ મનાઈ હોય છે કેમકે આ સમયે દેવ પોઢેલા હોય છે. તેથી આ સમયે શરુ કરેલું કામ સફળ થવાની સંભાવના ઓછી હોય છે. 
- ચાતુર્માસમાં ઘરેથી વહુ કે દીકરીને વિદાઈ ન આપવી.

ચાતુર્માસમાં શું કરવાથી લાભ થાય ?

- ચાતુર્માસ શરુ થાય ત્યારથી પુરો થાય ત્યાં સુધી સાત્વિક આહાર લેવો. આ સમય દરમિયાન તામસિક વસ્તુઓનો ત્યાગ કરવો.
- ચાતુર્માસ દરમિયાન ભગવાનના ભજન-કિર્તનમાં સમય પસાર કરવો જોઈએ. 
- ચાતુર્માસમાં નિયમિત વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવાથી લાભ થાય છે. 
- ચાતુર્માસમાં દાન-પુણ્ય જેવા કાર્ય કરવા કલ્યાણકારી છે. 
- ભગવાનના નામનો જપ કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Krupa Shah

Zee 24 કલાક (ડિજિટલ) સાથે જોડાયેલા કૃપા શાહ વિવિધ વિષયો પર લેખન કાર્ય કરે છે. તેઓ પત્રકારત્વ ક્ષેત્રમાં 12 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમના લેખો મુખ્યત્વે લાઈફ સ્ટાઈલ, હેલ્થ, ધર્મ અને રિલેશન જેવા વિષયો

...और पढ़ें

Trending news