)
Dahi ke Shakun Apshakun: હિન્દુ ધર્મમાં દહીંને પવિત્ર અને શુભ માનવામાં આવે છે. ધાર્મિક કાર્યમાં, પૂજા-પાઠમાં પ્રસાદ તરીકે પણ દહીંનો સમાવેશ કરવામાં આવે છે. દહીં સમૃદ્ધિ, શીતલતા અને સૌભાગ્યનું પ્રતિક ગણાય છે. શાસ્ત્રોમાં જણાવાયું છે કે દહીંથી અલગ અલગ પ્રકારના લાભ થાય છે. સાથે જ દહીંના કેટલાક અશુભ સંકેતો પણ જોડાયેલા છે.
ખાસ કરીને કેટલીક પરિસ્થિતિમાં દહીંનો ઉપયોગ કરવો અપશુકન માનવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર લંકાપતિ રાવણના મૃત્યુ સાથે પણ દહીંનું અપશુકન જોડાયેલું છે. આજે તમને દહીંથી જોડાયેલા આ શુકન અપશુકન વિશે અને રાવણના મૃત્યુની કથા વિશે જણાવીએ.
રાત્રે દહીં ખાવું વર્જિત
શાસ્ત્રો અનુસાર રાત્રે દહીંનું સેવન કરવું અશુભ અને દોષકારક છે. તેનાથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે પિતૃદોષ વધે છે. મંગળવાર અને ગુરુવારે તો ભૂલથી પણ રાત્રે દહીં ખાવું નહીં.
ખાંડ વિનાનું દહીં ખાવું
માન્યતા છે કે સવારના સમયે સાકર કે ખાંડ વિનાનું દહીં ખાવું અશુભ છે. ઘરેથી નીકળતી વખતે દહીંમાં સાકર ઉમેરીને જ ખાવું જોઈએ તેનાથી શુભ ફળ મળે છે.
દહીં ઢોળાઈ જવું
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂજા કરતી વખતે કે રસોડામાં કામ કરતી વખતે દહીં જમીન પર ઢોળાઈ જાય તો તેને અપશુકન માનવામાં આવે છે. આવું થાય તો ઘરમાં કલેશ, આર્થિક હાનિ અથવા તો કાર્યોમાં બાધા આવવાની સંભાવના હોય છે.
શોક કાળમાં દહીંનો ઉપયોગ
ઘરમાં કોઈ પરિજનનો નિધન થયું હોય તો 13 દિવસ સુધીનો શોક કાળ હોય છે. આ સમય દરમિયાન દહીંથી બનેલી વસ્તુઓ ખાવાની મનાઈ હોય છે. 13 દિવસ સુધી દહીં કે દહીંથી બનેલી વસ્તુ ખાવાથી મૃતકની આત્માની શાંતિમાં બાધા ઉત્પન્ન થાય છે.
રાવણના મૃત્યુ સાથે દહીંનો સંબંધ
રામાયણની દહીં સંબંધિત એક લોક કથા પ્રચલિત છે. લોક કથા અનુસાર રાવણને જ્યોતિષીઓએ ચેતવણી આપી હતી કે યુદ્ધ ચાલે ત્યાં સુધી તે દહીંનું સેવન ન કરે નહીં તો તેના માટે અશુભ થશે. જ્યોતિષીઓની ચેતવણી છતાં રાવણે એક વખત દહીં ખાઈ લીધું. ત્યાર પછી તેના શુભ ગ્રહ નબળા પડવા લાગ્યા અને રાવણનું તેજ પણ ઘટવા લાગ્યું. જોકે આ પ્રસંગનો ઉલ્લેખ વાલ્મિકી રામાયણમાં પ્રત્યક્ષ રીતે નથી પરંતુ લોકવાયકાઓમાં આ પ્રસંગનો ઉલ્લેખ કરવામાં આવે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)