)
Navratri Sthapana Rules: હિંદુ ધર્મમાં નવરાત્રીના નવ દિવસોને અત્યંત પવિત્ર અને ખાસ માનવામાં આવે છે. આજથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થયો છે. આ વર્ષે નવરાત્રીમાં 10 દિવસ માં દુર્ગાની આરાધના કરવાનો અવસર મળશે. આ દિવસો દરમિયાન માં દુર્ગાની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવે છે. નવરાત્રીની શરુઆત કળશ સ્થાપના સાથે થાય છે. જેને અત્યંત શુભ અને મંગળકારી માનવામાં આવે છે.
હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે કળશ સ્થાપના માટે 2 શુભ મુહૂર્ત બની રહ્યા છે. પહેલું મહુર્ત વહેલી સવારે અને બીજું અભિજીત મુહૂર્ત 11.50 મિનિટથી શરુ થશે અને 12.39 મિનિટ સુધી ચાલશે. શાસ્ત્રો અનુસાર કળશ સ્થાપના કરતી વખતે વ્યક્તિએ કેટલીક ભુલ ન કરવી જોઈએ. આ ભુલ કઈ છે ચાલો તમને જણાવીએ.
સ્વચ્છતા રાખવી
કળશ સ્થાપના પહેલા સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવું. કળશ સાફ કરી તેમાં સ્વચ્છ જળ ભરવું. જે જગ્યાએ કળશ સ્થાપના કરવાની હોય જે સ્થાનને પણ સ્વચ્છ રાખવું. પવિત્ર વાતાવરણમાં જ કળશ સ્થાપના કરવી શુભ ગણાય છે.
કળશ ખંડિત ન હોવો જોઈએ
જો તમે માટીનો કળશ પધરાવો છો તો ખાસ ધ્યાન રાખવું કે કળશ ખંડિત ન હોય. ખંડિત કળશનો ઉપયોગ કરવો અશુભ ગણાય છે. કળશ સ્થાપના કરતી વખતે ખાસ ચેક કરી લેવું. અક્ષત કળશનો જ ઉપયોગ કરવો જરૂરી છે.
કળશ સ્થાપના કર્યા પછી સ્થાન ન બદલવું
કળશ સ્થાપના થઈ જાય પછી નવ દિવસ સુધી તેનું સ્થાન બદલવું નહીં. કળશને એક સ્થાન પર સ્થિર રાખવો. કળશનું સ્થાન સ્થાપના પછી બદલવું અશુભ ગણાય છે.
કળશ સ્થાપના પછી ઘર બંધ રાખવું
ઘરમાં કળશ સ્થાપના કરી હોય પછી નવ દિવસ ઘર બંધ રાખવું નહીં. સ્થાપના પછી રોજ કળશમાં દીવો કરવો અને પૂજા કરવી. ઘરમાં નવ દિવસ દરમિયાન પવિત્રતાનું ધ્યાન પણ રાખવું.
ઘર શુદ્ધ રાખવું
કળશ સ્થાપના પહેલા ઘરને શુદ્ધ કરવું અને કળશ સ્થાપના પછી પણ ઘર અને રસોડું શુદ્ધ રાખવું. નવરાત્રીમાં લસણ-ડુંગળી, દારુ જેવી તામસિક વસ્તુઓનો ઉપયોગ ન કરવો. નવરાત્રીના નવ દિવસ ઘરનું વાતાવરણ સાત્વિક અને પવિત્ર રાખવું.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)