)
Guruwar Upay: ગુરુવારનો દિવસ ભગવાન વિષ્ણુ અને દેવગુરુ બૃહસ્પતિને સમર્પિત હોય છે. આ દિવસે વિધિ વિધાનથી પૂજા કરવાનું અને વ્રત કરવાનું ખાસ મહત્વ હોય છે. ગુરુવારની પૂજા અને વ્રત વ્યક્તિને જીવનની સમસ્યાઓથી રાહત તપાવી શકે છે. કારણ કે ગુરુવારનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુને તુલસી પણ અતિ પ્રિય છે તેથી જો ગુરુવારના દિવસે તુલસીના માંજરના ચમત્કારી ઉપાય કરવામાં આવે તો જીવનમાં સુખ-સમૃદ્ધિ અને ધનની ખામી ક્યારેય સર્જાતી નથી. તો ચાલો તમને જણાવીએ ગુરૂવારના ચમત્કારી ઉપાયો વિશે.
સમસ્યાઓ દૂર કરવાનો ઉપાય
ગુરુવારના દિવસે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરીને પીળા રંગના વસ્ત્ર પહેરવા. ત્યાર પછી ભગવાન વિષ્ણુની વિધિપૂર્વક પૂજા અને આરતી કરવી. પૂજામાં ભગવાન વિષ્ણુને હળદર અને તુલસીના માંજર અર્પણ કરો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો 108 વખત જાપ કરો. દર ગુરુવારે આ કામ કરવાથી જીવનમાં આવતી સમસ્યાઓથી છુટકારો મળી જાય છે અને ઘરમાં સકારાત્મકતા વધે છે.
ધન-સંપત્તિ વધારવાનો ઉપાય
જો જીવનમાં આર્થિક સમસ્યાઓ હોય તો ગુરૂવારના દિવસે તુલસીના માંજરનો આ ઉપાયો અજમાવી શકો છો. તેના માટે સવારે જલ્દી જાગી જવું અને સ્નાન કરી લેવું. ગુરુવારે લક્ષ્મીનારાયણ ની પૂજા કરી તેમને તુલસીના માંજર અર્પણ કરો. સાંજે ફરીથી પૂજા પાઠ કરી તુલસીના માંજર ને લઇ એક લાલ અથવા પીળા રંગના વસ્ત્રમાં બાંધીને તિજોરીમાં રાખી દો. માન્યતા છે કે આમ કરવાથી પૈસાની તંગી દૂર થઈ જાય છે.
વેપારમાં સફળતા માટેનો ઉપાય
ગુરૂવારના દિવસે ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીને પણ વિધિ વિધાનથી પૂજા કરવી. તેમને પૂજામાં હળદર, કેસર અને તુલસીના માંજર અર્પણ કરો. પૂજા પછી આરતી કરો અને એક પીળા વસ્ત્રમાં હળદર કેસર અને માંજર બાંધી લો. આ પીળી પોટલી દુકાન કે ઓફિસની પૈસા રાખવાની જગ્યાએ રાખી દો. આ પોટલી રાખવાથી વેપારમાં આવતી સમસ્યાઓ દૂર થાય છે અને કારકિર્દી તેમજ જીવનમાં સફળતાના માર્ગ ખુલવા લાગે છે.
ઘરમાંથી નેગેટિવિટી દૂર કરવાના ઉપાય
ગુરૂવાર અને શુક્રવારે એક લોટો પાણીનો ભરી તેમાં ગંગાજળ અને તુલસીના માંજર રાખી દો. સવારે સ્નાન કર્યા પછી આ પાણી તુલસીના માંજર વડે જ આખા ઘરમાં છાંટો. આ ઉપાય કરવાથી ઘરમાં ફેલાયેલી નેગેટિવિટી દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો સંચાર થાય છે. જો ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય તો ગુરુવાર અને શુક્રવારે આ ઉપાય ભૂલ્યા વિના કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)