Holashtak 2025: 7 માર્ચથી હોળાષ્ટક શરુ, હોળી સુધી રોજ કરવું આ કામ, આર્થિક સમસ્યાઓ થવા લાગશે દુર
Holashtak 2025 Upay: હોળાષ્ટક શરુ થાય ત્યારથી લઈ હોળી સુધીના દિવસોમાં શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ દિવસો દરમિયાન કેટલાક ઉપાયો કરવાથી લાભનો અનુભવ થઈ શકે છે. આ ઉપાયો એકદમ સરળ છે અને ફક્ત 7 દિવસ જ કરવાના હોય છે.
Trending Photos
Holashtak 2025 Upay: હિન્દુ ધર્મમાં હોળી પર્વનું મહત્વ છે. હોળી આવે તેના 7 દિવસ પહેલાથી હોળાષ્ટક લાગી જાય છે. આ દિવસો એવા હોય છે જ્યારે કોઈ પણ પ્રકારનું શુભ કે માંગલિક કાર્ય કરવામાં આવતું નથી. હોળાષ્ટકનો સમય પૂજા પાઠ માટે શુભ છે. હોળાષ્ટકના દિવસો દરમ્યાન કેટલાક ઉપાયો કરવામાં આવે તો જીવનમાં સકારાત્મકતા આવે છે. ખાસ તો જે લોકો લાંબા સમયથી આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યા છે તેમના માટે હોળાષ્ટક લાભકારી બની શકે છે. હોળાષ્ટક શરૂ થાય ત્યારથી હોલિકા દહન થાય ત્યાં સુધી કેટલાક વિશેષ ઉપાય કરવાથી આર્થિક સ્થિતિમાં પરિવર્તન આવી શકે છે.
ક્યારથી શરૂ થશે હોળાષ્ટક ?
આ વર્ષે હોળાષ્ટક 7 માર્ચ 2025 થી શરૂ થશે. 13 માર્ચ 2025 ના રોજ હોળીકા દહનના દિવસે હોળાષ્ટક પૂર્ણ થશે. આ દિવસો દરમિયાન માંગલિક કાર્ય કરવાની મનાઈ હોય છે. હોળાષ્ટકનું સમાપન હોલિકા દહનના દિવસે થાય છે હોળાષ્ટકના 7 દિવસ ખાસ હોય છે જો તમે આ ઉપાય કરશો તો ઘરની નકારાત્મકતા દૂર થશે અને આર્થિક તંગી પણ દૂર થશે.
હોળાષ્ટકના ઉપાય
- હોળાષ્ટક દરમિયાન ઘરમાં સાફ સફાઈનું વિશેષ. ફાટેલા કપડા, તૂટેલી વસ્તુ અને ભંગાર ઘરમાં હોય તો તેને બહાર કાઢો. ઘરમાં રોજ ગંગાજળ છાંટો.
- હોળાષ્ટકના દિવસોમાં રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો તેનાથી માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે અને નકારાત્મક વિચારો દૂર થાય છે.
- જ્યોતિષશાસ્ત્ર અનુસાર હોળાષ્ટક દરમિયાન ઘરની ઉત્તર પૂર્વ દિશામાં દીવો કરવો શુભ ગણાય છે. આ દિશામાં રોજ સાંજના સમયે દીવો કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થઈને ઘરમાં સ્થાયી વાસ કરે છે.
- હોળાષ્ટક દરમિયાન ભગવાન શિવની પૂજા રોજ કરવી જોઈએ. કહેવાય છે કે ભોળાનાથની કૃપાથી જીવનમાં આવતી મુશ્કેલીઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ વધે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે