)
2026 Predictions: વર્ષ 2026માં ઘણા મહત્વપૂર્ણ ગ્રહ પોતાની ચાલમાં ફેરફાર કરશે. નવું હિંદુ સંવત્સર શરૂ થશે, જે રૌદ્ર સંવત્સર હશે. એટલે કે તે ઓછું ભયાનક નહીં હોય. પ્રકૃતિ પોતાનું રૌદ્ર રૂપ દેખાડશે, એક બાદ એક ઘણી આપદાઓ આવશે. ભારતની રાજનીતિમાં મોટો ફેરફાર આવવા, આતંકી હુમલા થવા, હિંસા થવાનો યોગ પણ બની રહ્યો છે. કુલ મળી માહોલ અને જનજીવનને અસ્થિર બનાવનાર સ્થિતિઓ ઉભી થશે.
વર્ષ 2026ના મોટા ગ્રહ ગોચર
ગુરૂ ગોચર 2026: વર્ષ 2026મા દેવગુરૂ બૃહસ્પતિ 2 જૂન સુધી મિથુન રાશિમાં રહેશે અને પછી જૂનથી 31 ઓક્ટોબર સુધી કર્ક રાશિમાં રહેશે.
રાહુ કેતુ ગોચરઃ વર્ષ 2026મા રાહુ અને કેતુ ગોચર કરશે. 5 ડિસેમ્બરે રાહુ કુંભમાંથી નીકળી મકર રાશિમાં ગોચર કરશે. તો કેતુ સિંહ રાશિમાંથી નીકળી કર્ક રાશિમાં ગોચર કરશે.
મંગળ ગોચર 2026: વર્ષ 2026મા ગ્રહોના સેનાપતિ મંગળની ચાલમાં ઘણીવાર ફેરફાર થશે. 16 જાન્યુઆરી 2026ના મંગળ ગોચર થશે, તે ધનમાંથી નીકળી મકર રાશિમાં પ્રવેશ કરશે. ત્યારબાદ ક્રમશઃ કુંભ, મીન, મેષ, મિથુન, કર્ક અને સિંહ રાશિમાં મંગળ ગોચર થશે.
સૂર્ય-શનિ યુતિ 2026: દુશ્મન ગ્રહ સૂર્ય શનિ મીન રાશિમાં યુતિ કરશે. આ સિવાય ક્રૂર ગ્રહ મંગળ પણ રાહુ અને કેતુ સાથે અશુભ યુતિ બનાવશે.
વર્ષ 2026માં આવશે તબાહી
આ ગ્રહ ગોચરને કારણે દેશો વચ્ચે કૂટનીતિક તણાવ વધશે. યુદ્ધ થશે. હિંસા ભડકી શકે છે. નવું વૈશ્વિક ગઠંબધન ઉભરી શકે છે. જ્યારે ગુરૂ કર્ક રાશિમાં ઉચ્ચ અવસ્થામાં ગોચર કરશે ત્યારે ભારે જળવાયુ પરિવર્તન જોવા મળી શકે છે, જે પૂર, તોફાન અને પાણી સંબંધિત વિપત્તીઓ લાવશે. તેમ કહો કે વર્ષ 2025મા વાદળો ફાટવા, પૂરથી જે તબાહી મચી છે, તેવી કે તેનાથી વધારે 2026મા મચી શકે છે.
2 જૂન 2026ના ગુરૂ ગોચર થયા બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધી શકે છે. પરંતુ તેની ભારત પર ખરાબ અસર થવાની આશંકા ઓછી છે. ભારતની શક્તિ વધશે અને તે શત્રુ પર ભારે પડશે. પરંતુ યુદ્ધમાં લિપ્ત તવાની આશંકા વધી શકે છે. સરહદો પર સંઘર્ષ અને પ્રાકૃતિક આપદાઓ દુનિયાના ઘણા દેશોમાં અશાંતિ લાવશે.
જુલાઈ-ઓગસ્ટ સૌથી ભયંકર
12 જુલાઈથી 15 ઓગસ્ટ વચ્ચેનો સમય ભયંકર રહી શકે છે. હકીકતમાં આ સમયે ગુરૂ, ચંદ્ર અને સૂર્ય ગ્રહ કર્ક રાશિમાં ભેગા થશે અને તબાહી લાવી શકે છે. પરંતુ બાદમાં સ્થિતિ સારી થશે. એનો અર્થ એ કે વિનાશ પછી, સર્જનની પરિસ્થિતિનું નિર્માણ થશે. ફરી એકવાર, વિશ્વ યુદ્ધની પરિસ્થિતિઓનું નિર્માણ થશે.