ગણતરીના કલાકોમાં એક સાથે 2 વિનાશકારી યોગ બનશે, ભારે નુકસાન કરાવે, જીવન નરક જેવું બને... 3 રાશિવાળા સાવધ રહેજો
Karwa Chauth 2025 Rashifal: 10 ઓક્ટોબરે કરવા ચોથ છે. જો કે આ દિવસે વિડાલ યોગ અને વ્યતિપાત યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે જેની અશુભ અસર અનેક રાશિઓ પર જોવા મળી શકે છે.
Trending Photos
)
જ્યોતિષની દ્રષ્ટિએ જોઈએ તો કરવા ચોથનો દિવસ ખુબ મહત્વપૂર્ણ છે કારણ કે આ દિવસે અનેક પ્રભાવશાળી યોગ બની રહ્યા છે. જ્યાં શુભ યોગ લોકોને લાભ કરાવી શકે છે ત્યાં અશુભ યોગ નકારાત્મક પ્રભાવ પણ છોડી શકે છે. વૈદિક પંચાંગ મુજબ આ વખતે કરવા ચોથ પર વિડાલ યોગ અને વ્યતિપાત યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેની નકારાત્મક અસર 3 રાશિઓ પર જોવા મળી શકે છે. જાણો કોણે સાવધાન રહેવું પડશે.
ક્યાંથી ક્યાં સુધી છે વિડાલ-વ્યતિપાત યોગ
પંચાંગ મુજબ આ વખતે કરવા ચોથ એટલે કે 10 ઓક્ટોબરના રોજ સાંજે 5.31 કલાકથી લઈને રાતે 8.20 વાગયા સુધી વિડાલ યોગ રહેશે. આ બધા વચ્ચે સાંજે 5.41 કલાક પર વ્યતિપાત યોગનો આરંભ થશે જેનું સમાપન બીજા દિવસે એટલે કે 11 ઓક્ટોબર બપોરે 2.06 કલાકે થશે. જાણો કઈ રાશિઓએ સતર્ક રહેવું પડશે.
મેષ રાશિ
કરવા ચોથ પર બનનારા વિડાલ યોગ અને વ્યતિપાત યોગથી મેષ રાશિના જાતકોએ સાચવવું પડશે. તમને ઘરવાળાની ચિંતા સતાવશે. બ્લડ પ્રેશર વધી શકે છે. કામકાજી લોકોને નફામાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે તણાવ રહી શકે. જે જાતકો અભ્યાસ કરે છે તેમનું મન ભટકી શકે છે. ખોટી સંગતમાં ફસાઈ શકે છે.
મિથુન રાશિ
મેષ ઉપરાંત મિથુન રાશિના જાતકો માટે પણ કરવા ચોથનો દિવસ સારો રહેશે નહીં. પરિવારમાં કોઈ જૂની બાબત પર વિવાદ થઈ શકે છે. જેના કારણે માહોલ ખરાબ થઈ શકે. પરિજનોના મનમાં એકબીજા માટે નકારાત્મક ભાવ આવી શકે. કામકાજી લોકોને પૈસામાં તકલીફનો સામનો કરવો પડી શકે.
કુંભ રાશિ
કુંભ રાશિવાળા માટે પણ આ બે અશુભ યોગ પરેશાની વધારનારો રહી શકે છે. તમે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં. જેના કારણે કરિયરમાં આગળ વધવાની તક તમારા હાથમાંથી નીકળતી જશે. આર્થિક સ્થિતિ ડગુમગુ થઈ શકે છે. નાનામાં નાનો નિર્ણય સમજી વિચારીને લેવો.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, Z 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














