Shani Upay: લાલ કિતાબના આ ઉપાય બદલી દેશે ભાગ્ય, શનિની સાડાસાતીમાં પણ તકલીફો ભોગવવી નહીં પડે

Shani Sade Sati Dhaiya Upay: શનિ દેવ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. શનિની સાડાસાતી કે ઢૈયા ચાલતી હોય ત્યારે શનિ પીડા વધી જાય છે. જો લાલ કિતાબમાં એવા કામ જણાવેલા છે જેને કરવાથી શનિની પનોતી દરમિયાન પણ વ્યક્તિ સુખી જીવન જીવી શકે છે. આ ઉપાયો કયા છે ચાલો તમને જણાવીએ.
 

Shani Upay: લાલ કિતાબના આ ઉપાય બદલી દેશે ભાગ્ય, શનિની સાડાસાતીમાં પણ તકલીફો ભોગવવી નહીં પડે

Shani Sade Sati Dhaiya Upay: શનિ ગ્રહને ન્યાય અને કર્મ ફળના દેવતા કહેવાય છે. જ્યારે શનિની સાડાસાતી કે ઢૈયા શરૂ થાય તો વ્યક્તિને માનસિક, આર્થિક, સામાજિક સંઘર્ષમાંથી પસાર થવું પડે છે. જ્યારે શનિ મહા દશામાં સક્રિય હોય છે ત્યારે વ્યક્તિનું જીવનમાં વિલંબ, કામમાં મુશ્કેલી અને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે લાલ કિતાબમાં કેટલાક સરળ અને પ્રભાવી ઉપાય જણાવવામાં આવ્યા છે જેનાથી શનિના અશુભ પ્રભાવને ઘટાડી શકાય છે અને જીવનમાં સ્થિરતા લાવી શકાય છે. તો ચાલો તમને જણાવીએ લાલ કિતાબના કયા ઉપાયો કરવાથી શનિની શાળા સાથે રહ્યા અને મહા દશાથી રાહત મળી શકે છે. 

Add Zee News as a Preferred Source

શનિદેવને પ્રસન્ન કરવાના ઉપાય 

લાલ કિતાબ અનુસાર દર શનિવારે પીપળાના ઝાડની નીચે સરસવના તેલનો દીવો કરો. કાળા અડદ અથવા કાળા તલ કાળા કપડામાં બાંધીને શનિ મંદિરમાં દાન કરો. શનિવારના દિવસે કાળા કુતરા કે કાગડાને રોટલી ખવડાવી પણ શુભ ગણાય છે. શનિવારે વૃદ્ધોની કે ગરીબની મદદ કરવાથી શનિ કૃપા વધે છે. 

લાલ કિતાબના અચૂક ટોટકાની વાત કરીએ તો મંગળવાર અથવા શનિવારે લોઢાની વીંટી જમણા હાથની મધ્યમાં આંગળીમાં પહેરો. તેનાથી નકારાત્મકતા દૂર થાય છે. શનિ દોષથી પીડિત વ્યક્તિ પોતાના ઘરની બહાર લોઢાની ખીલી કે લોઢાનો નાનો ટુકડો રાખે તો તે પણ શુભ રહે છે. શનિવારે કાળા તલ કે તેલનું દાન કરવાથી શનિદેવ શાંત થાય છે. 

આ ઉપાય કરવા ઉપરાંત શનિની મહાદશાથી રાહત મેળવવા માટે રોજ ઓમ શં શનૈશ્ચરાય નમઃ મંત્રનો 108 વખત જાપ કરો. શનિવારના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો. શનિની મહા દશાથી રાહત મેળવવા માટે નીલમ રત્ન ધારણ કરી શકાય છે પરંતુ આ રત્ન ધારણ કરતા પહેલા નિષ્ણાંત સાથે ચર્ચા કરી લેવી. 

સૌથી મહત્વનું છે કે પોતાના કર્મમાં ઈમાનદારી રાખવી. કારણ કે શનિદેવ વ્યક્તિને કર્મ અનુસાર ફળ આપે છે. જે વ્યક્તિના કર્મ સારા હોય એટલે કે તે વ્યક્તિ કોઈ સાથે ખોટું ન કરે, કોઈને છેતરે નહીં કે બીજાનો હક ન છીનવે તો તેને શનિદેવ કષ્ટ આપતા નથી.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news