મહાકુંભના એક અઘોરી કાલપુરુષની ભયાનક ભવિષ્યવાણી, સાંભળીને થઈ જશો હેરાન-પરેશાન...

Mahakumbh Aghori Baba Kalpurush Prophecy: પ્રયાગરાજમાં મહાકુંભ મેળામાં આવેલા 95 વર્ષના અઘોરી સાધુ બાબા કાલપુરુષે ભયાનક ભવિષ્યવાણી કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે, અઘોરી બાબાઓની ઘણી ભવિષ્યવાણીઓ સાચી સાબિત થઈ ચૂકી છે. જાણો બાબા કાલપુરુષે આ વખતે ભવિષ્ય વિશે શું કહ્યું છે.

મહાકુંભના એક અઘોરી કાલપુરુષની ભયાનક ભવિષ્યવાણી, સાંભળીને થઈ જશો હેરાન-પરેશાન...

Mahakumbh Aghori Baba Kalpurush Prophecy: પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં હાલમાં 95 વર્ષના અઘોરી બાબા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યા છે. તેમનું નામ છે બાબા કાલપુરુષ. અહીં રાખથી રંગાયેલો તેનો લાલ ચહેરો જોઈને દરેકને આશ્ચર્ય થાય છે. તેના હાથમાં માનવ ખોપરી છે, જેમાંથી તે પાણી પીવે છે. કહેવાય છે કે, હિમાલયમાં ધ્યાન કરવાથી તેમનો અવાજ ઊંચો થઈ ગયો છે.

આ અઘોરી બાબાએ એવી ભવિષ્યવાણી કરી છે જેના કારણે બધા ચોંકી ગયા છે. તે પોતાની ઊંચી અવાજમાં કહે છે કે, 'ચિતા બળી જશે અને હવા કાળી થઈ જશે. નદીને તે બધુ યાદ છે, જે માણસ ભૂલી ગયો છે. જ્યારે ગંગા રડશે ત્યારે તેના આંસુ મેદાનો પર પડશે. આ શરૂ થઈ ગયું છે.'

Add Zee News as a Preferred Source

બાબા કાલપુરુષની હેરાન કરી દેનાર વાતો
બાબા કાલપુરુષ સામેના સંગમ સ્થળ તરફ ઈશારો કરીને કહે છે કે, 'હું છેલ્લા સાત મહાકુંભમાં આવ્યો છું. દર વખતે હું આ વિસ્તારમાં ચાલ્યો છું, પરંતુ આ વખતે સંકેતો અલગ છે. સ્મશાન સ્થળ પર કાગડાઓ અલગ ગીત ગાવી રહ્યા છે. મૃર્દે વધુ બેચેન હોય છે.'

અઘોરી બાબા કહે છે કે, 'ધરતી પોતાની શ્વાસ બદલી રહી છે.' આ સાથે જ તે રાખમાંથી એક પવિત્ર પ્રતીક બનાવે છે અને કહે છે, 'જ્યારે નદી પોતાનો માર્ગ બદલે છે, ત્યારે શહેરોને ખ્યાલ આવશે કે તેઓ ઉધાર લીધેલી જમીન પર વસે છે. આવનાર 4 વર્ષ આ આકાર આપશે જેના કારણે માણસ કાયમી કે શાશ્વત માને છે.'

મહાકુંભમાં સૌથી જૂના અઘોરી છે બાબા કાલપુરુષ 
બાબા કાલપુરુષ આ મહાકુંભમાં આવનારા સૌથી વૃદ્ધ અધોરી સાધુ છે. તેમની ઘણી ભવિષ્યવાણીઓ પાણી પર કેન્દ્રિત છે. પાણીની અછત અને આપત્તિઓ પર આધારિત છે, જે ઘણી વખત સચોટ સાબિત થઈ છે. તેમણે કહ્યું છે કે, ‘પર્વતો તેમનો બરફ છોડી દેશે. પહેલા ધીમે ધીમે, પછી એક જ સમયે પવિત્ર નદીઓ નવા માર્ગો શોધશે. ઘણા મંદિરો પૃથ્વી પર પાછા આવશે.'

બાબા કાલપુરુષની સૌથી મહત્વપૂર્ણ ભવિષ્યવાણી મહાકુંભ સાથે સંબંધિત છે. તેમણે કહ્યું કે, ‘આ સંગમ બદલાઈ જશે. નદી વહી રહી છે. સમયની સાથે સંગમને નવું સ્થાન મળશે. જ્યાં આજે રણ છે, ભવિષ્યની પેઢી ત્યાં કુંભનું આયોજન કરશે.'

જો કે, બાબા કાલપુરુષની ભવિષ્યવાણીઓમાં કોઈ વિનાશનો ઉલ્લેખ નથી. તે કરકરાટ અંગ્રેજીમાં ભવિષ્યવાણી કરે છે, 'આવનાર પરિવર્તન પૃથ્વી પર નહીં હોય. યુવા પેઢી આ યાદ રાખશે જે મધ્યમ પેઢી ભૂલી ગઈ છે. અત્યારે જન્મ લેનાર બાળકોને આ યાદ હશે જે આપણે ભૂલી ગયા છીએ. તેઓ પવનને સમજશે. તેમને ખબર પડી જશે કે પૃથ્વી ક્યારે ફરવાની છે. યુવા પેઢી ફરીથી આકાશ વાંચતા શીખશે.

અમાવસ્યાની રાત્રે કરેલી તેમની ભવિષ્યવાણીઓ આવનારા સમયનું એક જટિલ ચિત્ર રજૂ કરે છે. જો કે, તેની આ ભવિષ્યવાણીઓ કેટલી સાચી પડે છે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
DIPAK CHAVDA

2018થી મીડિયા સાથે જોડાયેલા છે, બિઝનેસ, નેશનલ, ઈન્ટરનેશનલ, ક્રાઈમ, રાજનીતિ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે અને લોકોને માહિતી પુરી પાડે છે. હાલ ZEE 24 કલાકમાં કામ કરી રહ્યા છે.

...और पढ़ें

Trending news