)
Rahu Ketu connection with Onion and Garlic: શું તમે ક્યારે વિચાર્યું છે કે ભોજનનો સ્વાદ વધારતા લસણ અને ડુંગળી ફક્ત ખાદ્ય પદાર્થ નથી.? જ્યોતિષશાસ્ત્ર અનુસાર લસણ અને ડુંગળીનો સીધો સંબંધ રાહુ અને કેતુ જેવા રહસ્યમયી ગ્રહ સાથે છે. આ જ કારણ છે કે ધાર્મિક કાર્યો દરમિયાન અને વ્રત ઉપવાસ દરમિયાન ડુંગળી અને લસણનો ઉપયોગ કરવો વર્જિત ગણાય છે. શાસ્ત્ર અનુસાર લસણ અને ડુંગળીનું કનેક્શન રાહુ અને કેતુ સાથે છે.. તો ચાલો તેમને વિસ્તારપૂર્વક જણાવીએ કે રાહુ અને કેતુનો લસણ ડુંગળી સાથે શું સંબંધ છે અને પૂજા-પાઠ દરમિયાન લસણ-ડુંગળીનું સેવન કરવું શા માટે વર્જિત ગણાય છે?
રાહુ અને કેતુની ઉત્પત્તિ
સમુદ્ર મંથન દરમિયાન જ્યારે દેવો અને દેવતાઓને અમૃત મળ્યું તો રાહુ અને કેતુએ છળ કરીને અમૃત પીધું હતું. જેનાથી ક્રોધિત થઈને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમનું ધડ અને માથું અલગ અલગ કરી દીધા હતા. કહેવાય છે કે તે સમયે રાહુના રક્તથી ડુંગળી અને કેતુના રક્તથી લસણ ઉત્પન્ન થયું. આ કારણથી લસણ અને ડુંગળીને રાહુ કેતુના સંતાન કહેવાય છે. ત્યારથી જ આ વસ્તુઓને તામસિક આહારમાં ગણવામાં આવે છે. આ કારણ છે કે ધાર્મિક કાર્યોમાં લસણ અને ડુંગળીનો ત્યાગ કરવામાં આવે છે.
લસણ ડુંગળીનો રાહુ કેતુ સાથે સંબંધ
રાહુ અને કેતુ વ્યક્તિમાં મોહ, ભ્રમ અને વાસના વધારે છે. લસણ ડુંગળી આ પ્રવૃત્તિઓને તીવ્ર બનાવે છે. વ્રત દરમિયાન કે પૂજા પાઠ દરમિયાન લસણ કે ડુંગળી ખાવાથી મન અસ્થિર થાય છે અને એકાગ્રતા પણ ભંગ થઈ જાય છે. રાહુ અને કેતુને રોગના કારક ગ્રહ માનવામાં આવે છે. જ્યારે લસણ અને ડુંગળી રોગમાં ઔષધી તરીકે ઉપયોગ લેવાય છે. એટલે કે રોગ અને તેનો ઈલાજ બંને એક જ ઉર્જાથી જોડાયેલા છે.
પૂજા પાઠ દરમિયાન લસણ ડુંગળીનો ઉપયોગ
શાસ્ત્રીય માન્યતા અનુસાર નવરાત્રી, એકાદશી, સોમવાર, ગુરુવાર જેવા પાવન વ્રત દરમ્યાન લસણ અને ડુંગળી ખાવું વર્જિત છે. ખાસ કરીને ચંદ્ર, ગુરુ અને શુક્રની પૂજા સમયે લસણ અને ડુંગળી ખાવાથી મન અશાંત અને ચંચળ થઈ જાય છે. આજ કારણ છે કે મંદિરમાં મળતા પ્રસાદમાં પણ લસણ અને ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો નથી.
રાહુ કે કેતુ દોષના ઉપાય
જો તમારી જન્મકુંડળીમાં રાહુ કે કેતુ સંબંધિત કોઈ દોષ છે અથવા કાલસર્પ યોગ, રાહુની મહાદશા કે કેતુની અંતરદશા ચાલતી હોય તો આ ઉપાય કરવા લાભકારી માનવામાં આવે છે. સૌથી પહેલા તો રાહુ અને કેતુના ખરાબ પ્રભાવથી બચવા માટે આહારમાંથી લસણ અને ડુંગળીની બાદબાકી કરી દો. આ સિવાય રાહુની શાંતિ માટે શનિવારે કાળા તલ, વસ્ત્ર અથવા સરસવના તેલનું દાન કરો અને કેતુને શાંતિ માટે શનિવારે કાળા ધાબળા, કૂતરાને ભોજન અથવા ઊનના વસ્ત્રનું દાન કરો. આ સિવાય અમાસ અને પૂર્ણિમાની તિથિ હોય ત્યારે પૂજા પાઠ અને દાન કરવાનું રાખો.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )