)
Sarva Pitru Amavasya 2025: પંચાંગ અનુસાર આ વર્ષે સર્વપિતૃ અમાસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગનો સંયોગ બની રહ્યો છે. જ્યોતિષ ગણના અનુસાર આ દિવસે સૂર્ય કન્યા રાશિમાં હશે અને ચંદ્ર બપોરે 3.57 મિનિટ સુધી સિંહ રાશિમાં રહેશે. ત્યારબાદ કન્યા રાશિમાં ગોચર કરશે. સંયોગવશ આ દિવસે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ પણ થવાનું છે જે રાત્રે 10.59 મિનિટ પર શરુ થશે. આ સ્થિતિમાં સર્વપિતૃ અમાસ પર કયા સંયોગ બની રહ્યા છે અને આ દિવસે પૂર્વજોનું શ્રાદ્ધ, તર્પણ અને પિંડદાન કેવી રીતે કરવું જાણીએ.
સર્વપિતૃ અમાસનું મુહૂર્ત
પંચાંગ અનુસાર આ દિવસે અભિજીત મુહૂર્ત સવારે 11.50 મિનિટથી શરુ થશે જે બપોરે 12.38 મિનિટ સુધી રહેશે. આ દિવસે રાહુ કાળ સાંજે 4.48 મિનિટથી 6.19 મિનિટ સુધી રહેશે. આ દિવસ શ્રાદ્ધ, તર્પણ અને પિતૃ નિમિત્તે પિંડદાન કરવા માટે શુભ છે.
જ્યોતિષ શાસ્ત્રમાં સર્વાર્થ સિદ્ધિ યોગ અત્યંત શુભ છે. માન્યતા છે કે આ યોગમાં કરેલા કામ સફળ થાય છે. આ વખતે આ યોગ 21 તારીખે સવારે 9.32 મિનિટથી શરુ થશે અને 22 સપ્ટેમ્બર સવારે 6.09 મિનિટ સુધી ચાલશે.
સર્વપિતૃ અમાસ પર કોનું શ્રાદ્ધ થાય ?
ગરુડ પુરાણ અનુસાર અમાસની તિથિ પર એવા પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુ અમાસ, પૂનમ કે ચૌદશના રોજ થયું હોય. આ સિવાય જો કોઈ અલગ અલગ તિથિ પર શ્રાદ્ધ નથી કરી શકતા તો તેઓ બધા જ પૂર્વજોના નામે આ દિવસે શ્રાદ્ધ કરી શકે છે. સર્વપિતૃ અમાસને મોક્ષ અમાસ પણ કહેવામાં આવે છે. આ સિવાય જે પૂર્વજની મૃત્યુ તિથિ યાદ ન હોય તેમનું શ્રાદ્ધ પણ આ દિવસે કરી શકાય છે.
સર્વપિતૃ અમાસની શ્રાદ્ધ વિધિ
આ દિવસે શ્રાદ્ધ અને તર્પણ કરવાના પ્રમુખ નિયમ જણાવેલા છે. સર્વપિતૃ અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન કરી પિતૃઓની આત્માની શાંતિ માટે તર્પણ અને પિંડદાન કરવું. સાથે જ ગાય, કુતરા, કીડી અને કાગડાને ભોજન કરાવો. બ્રાહ્મણને ભોજન કરાવી દાન-દક્ષિણા આપો. અમાસના દિવસે પીપળાની પૂજા કરી, સાત પરિક્રમા કરી પિતૃઓને યાદ કરી પાણી ચઢાવો. સાથે જ સરસવના તેલમાં કાળઆ તલ ઉમેરી પીપળા નીચે દીવો કરો.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)