)
Shardiya Navratri 2025: હિન્દુ ધર્મમાં નવરાત્રીનો તહેવાર વર્ષ દરમિયાન આવતા મુખ્ય તહેવારોમાંથી એક છે. નવરાત્રિના નવ દિવસ દરમિયાન ભક્તો માં દુર્ગાના નવ સ્વરૂપની પૂજા કરે છે. વર્ષ 2025 માં શારદીય નવરાત્રીની શરૂઆત 22 સપ્ટેમ્બરથી થઈ રહી છે. દર વર્ષે માતાની સવારી અલગ અલગ હોય છે. જેની અસર પણ દેશ દુનિયા પર અલગ અલગ રીતે જોવા મળે છે. આ વર્ષે માં દુર્ગાની સવારી કઈ છે અને તેનો પ્રભાવ દેશ દુનિયા પર કેવો પડશે ચાલો જાણીએ.
શારદીય નવરાત્રીમાં માતાની સવારી
દર વર્ષે માં દુર્ગા અલગ અલગ સવારી પર સવાર થઈને આવે છે. માં દુર્ગાની અલગ અલગ સવારીમાં પાલખી, ઘોડો, હાથી, હોડી વગેરેનો સમાવેશ થાય. જ્યારે નવરાત્રિની શરૂઆત સોમવાર કે રવિવારે થતી હોય ત્યારે માતાની સવારી હાથી હોય છે તેવું માનવામાં આવે છે. આ વર્ષે 22 સપ્ટેમ્બર અને સોમવારથી શારદીય નવરાત્રી શરૂ થઈ રહી છે તેથી માતાની સવારી હાથી હશે. ધાર્મિક માન્યતા અનુસાર હાથીની સવારી શુભ ગણાય છે. હવે જાણીએ હાથી પર સવાર થઈને માં દુર્ગા આવશે તેનો દેશ દુનિયા પર કેવો પ્રભાવ જોવા મળશે?
શારદીય નવરાત્રીનો દેશ દુનિયા પર પ્રભાવ
માં દુર્ગા આ વર્ષે હાથી પર સવાર થઈને આવશે જે દેશ દુનિયા માટે સકારાત્મક સાબિત થશે. આ સમય દરમિયાન સારા પરિવર્તન વૈશ્વિક સ્તર પર જોવા મળી શકે છે. હાથી પર સવાર થઈને માં દુર્ગા આવે ત્યારે કૃષિ ક્ષેત્રમાં શુભતા લાવે છે. દેશ અને દુનિયામાં વ્યાપારની સ્થિતિ પણ સારી બની શકે છે. આ સમય દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તર પર વેપારમાં તેજી જોવા મળી શકે છે.
માં દુર્ગા જ્યારે હાથી પર સવાર થઈને આવે છે ત્યારે ધન લાભની સારી તકો મળે છે. લોકોના જીવનમાં પણ ખુશહાલી અને સમૃદ્ધિ વધે છે. આ વર્ષની નવરાત્રી સામાજિક દ્રષ્ટિએ પણ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આ વર્ષને નવરાત્રી દેશ દુનિયામાં સ્થિરતા લાવી શકે છે. આ દ્રષ્ટિએ માતાનું હાથી પર સવાર થઈને આવવું અત્યંત સકારાત્મક સાબિત થઈ શકે છે. વ્યક્તિગત રીતે પણ આ વર્ષની નવરાત્રી લોકોના જીવનમાં સુખ-સમૃદ્ધિ અને સામાજિક પ્રતિષ્ઠા વધારનાર સાબિત થશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)