)
Grahan In September 2025: સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માત્ર ખગોળીય ઘટનાનાથી પરંતુ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણને વિશેષ મહત્વ પણ આપવામાં આવે છે. તેમાં પણ સપ્ટેમ્બર 2025 માં દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં માત્ર 15 દિવસના અંતરે બે ગ્રહણ થશે. જેમાં 7 સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ થશે અને તેના 15 દિવસ પછી 21 સપ્ટેમ્બરે સૂર્યગ્રહણ થશે. એક મહિનામાં જ પંદર દિવસના અંતરાલમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ થવું જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વિશેષ ઘટના છે.
વર્ષ 2025 પહેલા આવો સંયોગ વર્ષ 2022 માં સર્જાયો હતો જેમાં 15 દિવસના અંતરે જ ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ થયું હતું. આ વર્ષે ફરીથી આવો સંયોગ થયો છે તો ચાલો જાણીએ કે જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ આ ગ્રહણનો પ્રભાવ કેવો પડશે.
પૂર્ણ ચંદ્રગ્રહણ
ભાદરવા મહિનાની પૂનમની તિથિ 7 સપ્ટેમ્બર 2025 ના રોજ આવશે અને આ દિવસે વર્ષનું છેલ્લું પૂર્ણ ચંદ્રગ્રહણ થવાનું છે. આ ચંદ્રગ્રહણ ખાસ એટલા માટે હશે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે. ભારત સિવાય યુરોપ ઓસ્ટ્રેલિયા અને એશિયાના ઘણા ભાગોમાં પણ આ ગ્રહણ દેખાશે. ભારતમાં આ ચંદ્રગ્રહણનો સુતક કાળ માન્ય ગણાશે.
ચંદ્રગ્રહણનો સુતક કાળ
ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બરે રાત્રે 9.57 મિનિટથી શરૂ થશે જેનો મધ્યકાળ 11.41 સુધી રહેશે. ગ્રહણની સમાપ્તિ મોડી રાત્રે 1.27 મિનિટે થશે. ગ્રહણ દરમિયાન ભોજન કે જલ ગ્રહણ કરવું નહીં.. આ સમય દરમિયાન પૂજા-પાઠ જેવા શુભ કાર્યો પણ કરવાની મનાઈ હોય છે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ વિશેષ સતર્કતા રાખવી જરૂરી છે.
ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ
ચંદ્રગ્રહણના 15 દિવસ પછી 21 સપ્ટેમ્બરે અમાસની તિથિ પર ખંડ ગ્રાસ સૂર્યગ્રહણ થશે. ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં એટલે તેનો સૂતક કાળ માન્ય નહીં ગણાય પરંતુ તેનો જ્યોતિષી પ્રભાવ જોવા મળી શકે છે. ગ્રહણની શરૂઆત 11:00 કલાકે થશે અને મોક્ષ કાળ 3.24 મિનિટે હશે. આ ગ્રહણ ભારતમાં નહીં દેખાય પરંતુ ન્યૂઝીલેન્ડ, પૂર્વી મલેશિયા જેવા દેશોમાં દેખાશે.
જ્યોતિષ નિષ્ણાંતો અનુસાર જ્યારે એક પછી એક બે ગ્રહણ થાય છે તો તે કોઈ અણધારી ઘટનાનો સંકેત હોય છે. આ 2 ગ્રહણ દેશ-દુનિયા પર વિપરીત અસર કરશે તેવું માનવામાં આવે છે. આ ગ્રહણ ધન હાનિ થવાનો પણ સંકેત કરે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)