ન્યાયના દેવતા મીન રાશિમાં કરશે પ્રવશે, જાણો શનિના ભ્રમણ દરમિયાન 12 રાશિ પર શું થશે અસર?

Shani Sadesati 2025: વર્ષો પછી શનિ મીન રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. શનિ દેવ (શનિ ગોચર 2025)ના મીન રાશિમાં ભ્રમણ સાથે મકર રાશિના લોકોને સાડાસાતીથી મુક્તિ મળશે. જ્યારે કર્ક અને વૃશ્ચિક રાશિના લોકોને શનિની ચુંગાલમાંથી મુક્તિ મળશે. 

ન્યાયના દેવતા મીન રાશિમાં કરશે પ્રવશે, જાણો શનિના ભ્રમણ દરમિયાન 12 રાશિ પર શું થશે અસર?

ડો. હેમિલ પી લાઠિયા/જ્યોતિષાચાર્ય: શનિ ન્યાયના કારક ગણાય છે, જે કર્મ અનુસાર ફળ આપે છે. જે નવગ્રહમાં સૌથી ધીમી ગતિએ ભ્રમણ કરે છે. જે અનુસાર એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરતા હોય છે, હાલ શનિ કુંભ રાશિમાંથી તા. 29/03/2025ના રોજ મીન રાશીમા પ્રવેશ કરશેય જે તા. 03/06/2027 સુધી ભ્રમણ કરશે. 

શનિ કુંભ રાશિમાં પ્રવેશ કરતાની સાથે જ કર્ક અને વૃશ્ચિક રાશિને નાની પનોતી અઢી વર્ષની અને મકર રાશીને સાડાસાતી પૂર્ણ થશે. તેમજ સિંહ અને ધન રાશિને અઢી વર્ષની નાની પનોતી શરૂ થશે. કુંભ રાશીને સાડાસાતીનો ત્રીજો તબ્બકો અને મીન રાશિને સાડાસાતીનો બીજો તબક્કો અને મેષ રાશિને સાડાસાતીનો પ્રથમ તબક્કો શરૂ થશે.

શનિનું ભ્રમણ દરેક રાશિને પાયાના આધારે પણ ફલાદેશમાં ગણતરીમાં લેવાતું હોય છે, જે મુજબ મીન રાશીના શનિના ભ્રમણ મુજબ:
વૃષભ, તુલા, મીન રાશિને સોનાનો પાયો.
મિથુન, કન્યા, મકર રાશિને તાંબાનો પાયો.
કર્ક, વૃશ્ચિક, કુંભ રાશિને ચાંદીનો પાયો.
મેષ, સિંહ, ધન રાશિને લોઢાનો પાયો ગણતરીમાં આવશે, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ, દશા વગેરે પણ ધ્યાનમાં લેવા હિતાવહ ગણાતા હોય છે.

શનીની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે, કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે. ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો, ગુજરાતના એક મુખ્યમંત્રીને શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા, અનેક ઉદાહરણ જોવા મળી જાય છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે. માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે. કેમ કે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છે. જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે. જે કર્મ આધીન હોય છે.

મીન રાશિમા શનિના ભ્રમણ દરમિયાન બાર રાશિ પર એક સામાન્ય ફળકથન:

મેષ: ધીરજ રાખવી, ઉશ્કેરાટથી બચવું. કોઈપણ નવીન કાર્ય માટે આયોજન અને માર્ગદર્શન લેવું હિતાવહ છે. નોકરી વ્યવસાય ઘરમાં સારી ફેરબદલી પણ સંભવિત છે.

વૃષભ: મહેનત મુજબ ફળ મળશે. કામકાજમાં સહયોગ મળશે. કોઈ અંગત પ્રશ્નો માટે સમાધાનકારી વલણ રાખશો તો કાર્ય પણ થઈ શકશે.

મિથુન: કામકાજમાં પ્રગતિ કરાવે. જાહેર જીવનમાં વ્યવહારુ બનીને રહેવું. જીવનસાથી સાથે દલીલ ન કરવી. 

કર્ક: ધીરે-ધીરે કામકાજમાં પ્રગતિ થશે. મતભેદ ભૂલવાની તક મળશે. આરોગ્ય બાબત સારો સુધારો જોવા મળશે. કોઈ તણાવ રહેતો હોય તે ઓછો થાય અને થોડી શાંતિ મળશે.

સિંહ: ઉશ્કેરાટના રાખવો. વાતચીતમાં ધ્યાન રાખવું. નોકરી વ્યવસાય કે રહેઠાણમાં પણ ફેરબદલી થઈ શકે છે. ખોટા ખર્ચ પર નિયંત્રણ રાખવું.

કન્યા: અંગત પ્રશ્નનું સમાધાન થઈ શકે છે. મનમાં કોઈ વાતની શાંતિનો અનુભવ થશે. સહયોગ, સમાધાન રાખશો તો સારા કાર્ય પણ થઈ શકશે.

તુલા: સંબંધ સુધારવાની તક મળશે. વાસ્તવિકતા સ્વીકારવી લાભદાયક બને સેવા કાર્ય પણ થશે. તેનો સંતોષ જોવા મળશે.

વૃશ્ચિક: ધીરજ રાખી. કાર્ય કરવાથી કાર્ય ધીરે-ધીરે આગળ વધશે અને અટકેલા કાર્ય માટે પ્રયત્ન કરવાથી પણ કાર્ય આગળ વધશે. કોઈ પસંદગીની ખરીદી કરી શકશો.

ધન: ધીરજ, શાંતિ રાખવી. વાર્તાલાપમાં ક્યાંય ગેરસમજ ન થાય તેનું ધ્યાન રાખવું. દલીલ, જીદ ન કરવી હિતાવહ છે.

મકર: રાહત અને શાંતિની લાગણી અનુભવાય. તમારી લાગણી અને કામકાજની કદર થશે. ઉતાવળ વૃત્તિ ન થાય તેનું ધ્યાન રાખવું.

કુંભ: આરોગ્ય અને આર્થિક બાબતમાં સુધારો આવશે. કામકાજમાં મહેનત વધુ કરવાથી કામકાજનું ફળ મળશે. શાંતિ જાળવવી.

મીન: આરોગ્ય બાબત તકેદારી રાખવી. અતિ ઉત્સાહ, અતિ વિશ્વાસ ન રાખવો. ગેરસમજથી બચવું અને વિવાદ ખટપટથી દુર રહેવું.

ઉપાય: દરરોજ શિવ જપ અને હનુમાન ચાલીસા વાંચવા હિતાવહ કહી શકાય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news