જ્યારે-જ્યારે સર્જાયો આ યોગ ત્યારે દેશ-દુનિયામાં થયું છે મોટું! જાણો પહલગામ હુમલા બાદ શું મળી રહ્યા છે સંકેત?

 કુંડળી મુજબ જ્યોતિષ ગણતરી કરીયે તો ભારત કડક વલણ અપનાવે, સર્જીકલ સ્ટાઈક જેવી કોઈ જવાબી કાર્યવાહી થાય, લશ્કરી કાર્યવાહી થાય  પણ બે દેશ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થાય તેવું ગણતરીમાં આવતું નથી. બન્ને દેશમાં થોડી ઉત્તેજના જોવા મળી શકે, આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની સ્થિતિ મજબૂત અને મુત્સદી બને, ભારતીય શેરબજાર કે કોમોડિટી બજાર ઉપર ખાસ મોટી કોઈ વિપરીત અસર થશે નહીં બજાર ઉતાર ચઢાવ વચ્ચે થોડી તેજી બતાવે તેવું લાગી રહ્યું છે. 

જ્યારે-જ્યારે સર્જાયો આ યોગ ત્યારે દેશ-દુનિયામાં થયું છે મોટું! જાણો પહલગામ હુમલા બાદ શું મળી રહ્યા છે સંકેત?

Pahalgam Terror Attack: દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામથી છ કિ.મી દૂર આવેલા પર્યટન સ્થળ બૈસરણ ખીણ માં મંગળવાર તા.૨૨/૪/૨૫ ના રોજ બપોરે ૨:૪૫ વાગ્યા આસપાસ આતંકી હુમલો થયો જેમાં ૨૬ લોકો ના મૃત્યુ થયા.  ઘટના સમય ની કુંડળી અને ભારતની કુંડળીના જ્યોતિષ અવલોકન મુજબ ઘટના સમય અને સ્થળ પ્રમાણે સિંહ લગ્ન અને સિંહ નવમાંશની કુંડળી બને છે. જેનો માલિક ગ્રહ સૂર્ય છે અને તે પોતાની ઉચ્ચ રાશિ મેષ માં ભ્રમણ કરે છે અને ચંદ્ર મકર રાશિમાં ઘનિષ્ઠા નક્ષત્રમાં ભ્રમણ કરે છે. 

મંગળ ગ્રહની મહાદશા છે. મંગળ બારમે નીચ રાશિ કર્ક માં છે. શનિ અને રાહુ એક નક્ષત્ર અને ચરણ ઉપરાંત અંશત્મક યુતિ પણ કરે છે. બે શુભ ગ્રહ ગુરુ અને શુક્ર રાશિ પરિવર્તન કરે છે. ભારત ની વૃષભ લગ્નની કુંડળી છે અને ચંદ્રની મહાદશા માં સૂર્યની અંતરદશા સપ્ટેમ્બર ૨૦૨૫ સુધી છે અને ત્યારબાદ મંગળની મહાદશા શરૂ થાય છે. તેમા મંગળની અંતરદશા જાન્યુઆરી ૨૦૨૬ સુધી ચાલશે.

વર્ષ ૨૦૨૫નું અંક ફળકથન મુજબની વાત જોવા મળી કે મંગળની પ્રકૃતિ અનુસાર આર્મી, પોલીસ, વિસ્ફોટ વગેરે ક્ષેત્રે અસર થશે. 

( આગાહી તા.૨૯/૧૨/૨૪ ) ૯ અંક મંગળ અને તેની અસર :

ઇ.સ. ૨૦૨૫ નો વર્ષાન્ક અંકશાસ્ત્ર મુજબ ગણીયે તો ૨+૦+૨+૫ = ૯ આવે જે આંક મંગળનો ગણાય છે. અંક મુજબ ફળકથન માં સકારાત્મક અને નકારાત્મક બાબત ની ગણતરી પણ થાય છે જેમાં કેટલીક ઘટનાઓ પણ થતી જોવા મળે છે  ઘટનાઓ ઘણા પ્રકારની બનતી હોય છે જે ક્યારેક અંક અને તેના માલિક ની પ્રકૃતિ મુજબ  ધ્યાનમાં પણ આવતી હોય છે .

૨૦૨૫ ૨+૦+૨+૫ = ૯
મંગળ ગ્રહનો અંક 9 છે. જે તેની પ્રકૃતિ અનુસાર આર્મી, પોલીસ, વિસ્ફોટ વગેરે ક્ષેત્રે અસર બતાવી શકે છે તેમાંની કેટલીક ઘટનાઓ યાદ કરીએ તો.. 

2016 :  પઠાણ કોટ હુમલો 
સર્જિકલ સ્ટાઈક (ઉરી)
2007 : નંદીગ્રામ (પ.બ) પોલીસ ગોળીબાર માં ૧૪ મૃત્યુ,
સૌમજોતા એક્સપ્રેસ માં બોમ્બ વિસ્ફોટ
હૈદરાબાદ માં વિસ્ફોટ
1989 : ભાગલપુર (બિહાર) માં બે માસ સુધી હિંસા
1980 : પ્લેન ક્રેસ
1971 : ભારત પાક પુદ્ધ
1962 : ભારત ચીન યુદ્ધ
1953 : અરુણાચલ પ્રદેશમાં 47 સરકારી કર્મચારીઓ ની હત્યા
1944 : મુંબઈ વિસ્ફોટ ૧૩૦૦ મૃત્યુ, ૮૦,૦૦૦ પીડિત, બીજું વિશ્વ યુદ્ધ અસર
1935 : મુંબઈ માં આંદોલન તેમાં લાઠી ચાર્જ
1926 : રેલ દુર્ઘટના ૨૪૮ મૃત્યુ

અંક ૯ મંગળ ગ્રહ સરકાર, કાયદા, નિયમ, ઉર્જા શક્તિ, રમત વગેરે ક્ષેત્રે અસર બતાવી શકે છે તેમાની કેટલીક ઘટનાઓ યાદ કરીએ તો...,

1926 : અસમમાં ફરજિયાત શિક્ષણ કાયદો
1935 : ન્યાયાલય સ્થાપન, RBI કાર્યરત
1944 : જાહેર દેવા નીતિ કાયદો
1953 : હિન્દી રાષ્ટ્રભાષા નિર્ણય
1962 : ભારત રક્ષા અધિનિયમ
1971 : વિજય દિવસ નિર્ણય
1980 : હરીકોટા ખાતે SLV ઉપગ્રહનું સફળ પરીક્ષણ
1989 : અયોધ્યામાં મંદિર શિલાન્યાસની અનુમતિ
1998 : પોખરણ માં અણુપરિક્ષણ 
2007 : T20 ક્રિકેટમાં ભારતનો પાકિસ્તાન સામે વિજય
2016 : GST બિલ પાસ

અહીં મોટે ભાગે ભારત દેશમાં ઘટેલી ઘટના અભ્યાસ અર્થે લખેલી છે અંકશાસ્ત્ર ના અભ્યાસ માટે વધુ અભ્યાસ કરવાથી ઘણા પ્રકારની વાત જાણવા મળી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news