Vastu Tips: વાસ્તુ દોષ દુર કરવા ઘરમાં આ જગ્યાઓએ રાખી દો સિંધવ મીઠું, ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન

Salt Vastu Tips: ઘરમાં વાસ્તુ દોષ હોય તો પરિવારમાં કોઈ સુખી નથી થઈ શકતું. ઘરમાં આર્થિક સમસ્યા, ક્લેશ સતત વધે છે. આ તકલીફને દુર કરવાનો એકદમ સરળ રસ્તો આજે તમને જણાવી દઈએ. 
 

Vastu Tips: વાસ્તુ દોષ દુર કરવા ઘરમાં આ જગ્યાઓએ રાખી દો સિંધવ મીઠું, ચુંબકની જેમ ખેંચાઈ આવશે ધન

Salt Vastu Tips: મીઠું રસોડાનું સૌથી મહત્વનું અંગ છે. મીઠું ઉમેર્યા વિના કોઈપણ ભોજન બનાવવું શક્ય નથી. આ મીઠું વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ પણ મહત્વનું છે. વાસ્તુશાસ્ત્રમાં મીઠાને પાવર ફૂલ અને ચમત્કારી ગણવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્રમાં મીઠાના કેટલાક ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેને કરવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે છે. મીઠાની મદદથી વાસ્તુદોષનું નિવારણ પણ થઈ શકે છે. મીઠું ઘરમાંથી નકારાત્મકતાને દૂર કરવામાં પણ ઉપયોગી છે. તો ચાલો તમને જણાવીએ વાસ્તુદોષ દૂર કરવાના મીઠાના સરળ ઉપાયો વિશે. 

મીઠાના ઉપાય કરવાના ફાયદા

- જો ઘરમાં વાસ્તુદોષ હોય તો આર્થિક સમસ્યાઓ અને પરિવારમાં કલેશની સ્થિતિ રહે છે. જો વાસ્તુ દોષને દૂર કરી દેવામાં આવે તો ઘરમાં ધનની આવક પણ વધે છે અને પરિવારમાં પ્રેમ પણ જળવાઈ રહે છે. આ કામ કરવા માટે મીઠાને ઘરની અલગ અલગ જગ્યાએ રાખવાની જરૂર હોય છે. 

- જો ઘરમાં પૈસા સંબંધિત સમસ્યા રહેતી હોય તો ઘરમાં પોતું કરવાના પાણીમાં થોડું મીઠું ઉમેરી દેવું. તેનાથી ઘરમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થશે અને ધનની આવક વધશે. 

- ઘરમાં વારંવાર લડાઈ ઝઘડા થતા હોય અને પતિ-પત્ની વચ્ચે પણ બનતું ન હોય તો બાથરૂમની અંદર કાચની વાટકીમાં સિંધવ મીઠું રાખી દેવું. ઘરમાં બરકત અને માનસિક શાંતિ માટે મીઠું દર અઠવાડિયે બદલી દેવું. 

- જો કોઈ વ્યક્તિ કારણ વિના ગુસ્સામાં રહેતી હોય અને સ્વભાવ પણ ખરાબ થઈ ગયો હોય તો સ્નાન કરવાના પાણીમાં એક ચમચી સિંધવ મીઠું ઉમેરી દેવું. તેનાથી વ્યક્તિના મનમાં ફેલાયેલી નકારાત્મકતા દૂર થવા લાગશે. 

- ચિંતા અને સ્ટ્રેસ દૂર કરવા માટે રૂમાલમાં સિંધવ મીઠું બાંધીને પોતાની પાસે રાખો તેનાથી માનસિક શાંતિ મળશે 

- કુંડળીમાં જો શુક્ર ગ્રહ નબળો હોય તો મીઠાનું દાન કરવું જોઈએ તેનાથી ધન સમૃદ્ધિ વધે છે. 

- ઘરનો નજર દોષ દૂર કરવા માટે કપડામાં સિંધવ મીઠું બાંધી પોટલી બનાવીને ઘરના મુખ્ય દ્વાર પર ટાંગી દેવી. 

- ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર થાય તે માટે ઘરના અલગ અલગ રૂમમાં કાચની વાટકીમાં સિંધવ મીઠું ભરીને રાખી દેવું. દર અઠવાડિયે આ મીઠું બદલી દેવું.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news