)
Radha Ashtami 2025: દર વર્ષે ભાદરવા મહિનાની આઠમની તિથિ પર રાધા અષ્ટમી ઉજવવામાં આવે છે. રાધા અષ્ટમી કૃષ્ણ જન્માષ્ટમીના 15 દિવસ પછી આવે છે. આ વર્ષે 31 ઓગસ્ટ અને રવિવારે રાધાષ્ટમી ઉજવાશે. રાધા રાનીના જન્મોત્વસની ધૂમ વ્રજમાં સૌથી વધુ જોવા મળે છે. વૃંદાવન સહિતના સ્થાનને સુશોભિત કરી કૃષ્ણ જન્માષ્ટમીની જેમજ ધામધૂમથી રાધાષ્ટમી ઉજવાય છે. આ દિવસે જ્યાં જુઓ ત્યાં રાધા નામની ગુંજ સાંભળવા મળે છે.
રાધા નામમાં અનોખી શક્તિ છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન પણ હોય છે કે ભગવાન કૃષ્ણ અને રાધાજીનું નામ સાથે લેવામાં આવે ત્યારે રાધે-કૃષ્ણ શા માટે કહેવાય છે ? એટલે કે રાધાનું નામ પહેલા શા માટે લેવાય છે. આવું શા માટે છે ચાલો આજે તમને જણાવીએ.
ભગવાન શ્રીકૃષ્ણએ જણાવેલું રહસ્ય
પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન કૃષ્ણ રાધા રાનીનું નામ સાંભળીને પ્રસન્ન થાય છે. ભગવાન એ ભક્તો પર અપાર કૃપા વસાવે છે જે રાધા નામ જપે છે. તેની પાછળ એક રોચક તથા પણ છે.. કથા અનુસાર એક સમયની વાત છે જ્યારે વ્યાસ મુનિના પુત્ર શુકદેવ પોપટનું સ્વરૂપ લઈને રાધા રાનીના મહેલમાં નિવાસ કરતા હતા. પોપટ સ્વરૂપે શુકદેવજી દિવસ રાત રાધા રાધા નામ બોલતા રહેતા.
એક દિવસ રાધા રાણીએ તેમને કહ્યું કે તે રાધા રાધા નહીં કૃષ્ણ કૃષ્ણ નામ બોલે. ત્યાર પછી ધીરે ધીરે નગરમાં પણ લોકો કૃષ્ણ નામ જપવા લાગ્યા. જેને જોઈને શ્રીકૃષ્ણ ઉદાસ થઈ ગયા. જ્યારે નારદજીએ તેમને ઉદાસીનું કારણ પૂછ્યું તો તેમણે કહ્યું કે જ્યારે તે રાધા નામ સાંભળે છે ત્યારે તેને આનંદ થાય છે. તેથી લોકો રાધા નામનો જ જાપ કરે. શ્રીકૃષ્ણને આવું બોલતા સાંભળીને રાધાજીની આંખો પણ ભરાઈ ગઈ. ત્યાર પછી તેમણે સુખદેવજી ને કહ્યું કે તે બસ રાધા રાધા નામનો જાપ કરે જેથી શ્રીકૃષ્ણને આનંદ થાય. ત્યારથી જ આ પરંપરા બનેલી છે કે કૃષ્ણ પહેલા રાધાનું નામ લેવામાં આવે છે.
રાધા વિના કૃષ્ણ પૂજા પણ અધૂરી
એટલું જ નહીં શાસ્ત્રોમાં રાધા રાનીને શ્રીકૃષ્ણની સાશ્વત શક્તિ સ્વરૂપા અને પ્રાણીઓની અધિષ્ઠાત્રી દેવી કહેવાયા છે. ભગવાન શ્રીકૃષ્ણના હૃદયમાં રાધા રાની વાસ કરે છે. એવી માન્યતા છે કે રાધા રાની વિના શ્રીકૃષ્ણની પૂજા અધૂરી ગણાય છે. એવી પણ માન્યતા છે કે જે લોકો ફક્ત રાધા નામ લે છે તેના પર ભગવાન શ્રીકૃષ્ણની વિશેષ કૃપા રહે છે અને ભગવાન તેમના કષ્ટ દૂર કરી દે છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)