IND vs PAK : હવે ભારત-પાકિસ્તાન વચ્ચે નહીં રમાય મેચ ? પહલગામ આતંકી હુમલા બાદ BCCIની આકરી પ્રતિક્રિયા
Pahalgam Terror Attack : કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશનું વાતાવરણ છે. રમત જગત પણ આનાથી બાકાત નથી. મહાન ક્રિકેટર સચિન તેંડુલકરથી લઈને બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતા નીરજ ચોપડા સુધી બધાએ તેની સખત નિંદા કરી છે.
Trending Photos
Pahalgam Terror Attack : કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડવામાં આવી રહ્યા છે. આ કારણે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ને પાકિસ્તાન સામે કોઈ મેચ ના રમવા કહી રહ્યા છે. આ અંગે સોશિયલ મીડિયા પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. BCCI સેક્રેટરી રાજીવ શુક્લાએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને ભવિષ્યમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચોને લઈને પણ મોટું નિવેદન આપ્યું છે.
રાજીવ શુક્લાનું નિવેદન
BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે અમે પીડિતોની સાથે ઉભા છીએ અને તેની નિંદા કરીએ છીએ. જ્યારે રાજીવ શુક્લાને પૂછવામાં આવ્યું કે શું ભારતીય ટીમ હવે પાકિસ્તાન સામે નહીં રમે તો તેમણે કહ્યું કે આ નિર્ણય સરકાર લેશે. સરકાર જે કહેશે તે BCCI કરશે. બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટે વધુમાં જણાવ્યું હતું કે અમે માત્ર સરકારના આદેશ પર દ્વિપક્ષીય શ્રેણી નથી રમી રહ્યા અને ભવિષ્યમાં પણ આમ કરતા રહીશું. જ્યાં સુધી આઈસીસી ઈવેન્ટનો સંબંધ છે, અમે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના કારણે તેમાં રમીએ છીએ.
Standing in solidarity with the victims of the Pahalgam terror attack. Prayers for the families who lost their loved ones in this gruesome attack 💔 pic.twitter.com/KXAJelZ1n3
— BCCI (@BCCI) April 23, 2025
ભારતીય ટીમ 2008થી પાકિસ્તાન જઈ રહી નથી
તાજેતરમાં જ ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન દુબઈમાં ભારત અને પાકિસ્તાનની ટીમો સામસામે આવી હતી. ટીમ ઈન્ડિયાએ તે મેચ મોટા માર્જિનથી જીતી હતી. 2008માં મુંબઈ હુમલાને કારણે ભારતીય ટીમ પાકિસ્તાન જઈ રહી નથી. BCCIએ પણ પહેલગામ આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેણે સોશિયલ મીડિયા પર પોતાની પોસ્ટમાં લખ્યું, "પહલગામ આતંકી હુમલાના પીડિતો સાથે અમે ઊભા છીએ. આ ભયાનક હુમલામાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો માટે પ્રાર્થના."
સચિન દેવજીત સૈકિયાનું નિવેદન
BCCIના સચિવ દેવજીત સૈકિયાએ પણ નિવેદન જાહેર કર્યું છે. તેમણે કહ્યું, "ગઈકાલે પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના દુ:ખદ મૃત્યુથી ક્રિકેટ સમુદાય ઊંડો આઘાત અને દુઃખી છે. BCCI વતી, હું આ ઘૃણાસ્પદ અને કાયરતાપૂર્ણ કૃત્યની સખત નિંદા કરું છું અને શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. હું તેમના દિવંગત આત્માઓ માટે પ્રાર્થના કરું છું અને આ દુઃખની ઘડીમાં અમે તેમના પરિવાર સાથે છીએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે