)
Australia A tour of India : ભારત A અને ઓસ્ટ્રેલિયા A વચ્ચે બે મેચની બિનસત્તાવાર ટેસ્ટ સિરીઝની બીજી મેચ પહેલા ભારત Aના કેપ્ટન શ્રેયસ ઐયરે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી અને મેચમાંથી ખસી ગયો છે. તેના સ્થાને વિકેટકીપર-બેટ્સમેન ધ્રુવ જુરેલને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. અનુભવી ઓપનર કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ ટીમ ઈન્ડિયામાં પાછા ફર્યા છે.
શ્રેયસ ઐયરને કેમ બહાર થયો ?
30 વર્ષીય ઐયરના મેચમાંથી ખસી જવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જોકે, ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ચાર દિવસીય મેચમાંથી ખસી જવાનો નિર્ણય લીધા પછી તે તરત જ મુંબઈ પાછો ફર્યો. ભારતીય ક્રિકેટ ટીમ 2 ઓક્ટોબરથી વેસ્ટ ઈન્ડિઝ સામે બે મેચની ટેસ્ટ સિરીઝ રમશે. ટીમની જાહેરાત થોડા દિવસોમાં થવાની છે અને ઐયરની હવે ઝટકો લાગી શકે છે.
શું તેની ટીમ ઇન્ડિયા માટે પસંદગી થશે ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના છતાં શ્રેયસ ઐયર પસંદગીકારોની યોજનામાં છે. એક સૂત્રએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું કે, "હા, શ્રેયસ વિરામ લઈ રહ્યો છે અને મુંબઈ પાછો ફર્યો છે. તેણે પસંદગીકારોને જાણ કરી છે કે તે ઓસ્ટ્રેલિયા A સામેની બીજી ચાર દિવસીય મેચમાં રમી શકશે નહીં. જોકે, વેસ્ટ ઇન્ડીઝ સિરીઝ માટે ટીમ પસંદગી માટે તે દાવેદાર છે."
ઐયરનું ખરાબ ફોર્મ
ઐયરે આ જ મેદાન પર છેલ્લી મેચનું નેતૃત્વ કર્યું હતું, જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. તેણે પહેલી ઇનિંગમાં માત્ર 8 રન બનાવ્યા હતા. ટીમ ઇન્ડિયાએ બીજી ઇનિંગમાં બેટિંગ કરી નહોતી. ઐયર આ સિઝનમાં અત્યાર સુધી ખૂબ સારા ફોર્મમાં નથી. તેણે આ મહિનાની શરૂઆતમાં બેંગલુરુમાં સેન્ટ્રલ ઝોન સામે દુલીપ ટ્રોફી સેમિફાઇનલમાં વેસ્ટ ઝોન માટે 25 અને 12 રનની સામાન્ય ઇનિંગ રમી હતી.
બંને ટીમો માટે પ્લેઇંગ XI
ઓસ્ટ્રેલિયા A : સેમ કોન્સ્ટાસ, કેમ્પબેલ કેલાવે, નાથન મેકસ્વીની (કેપ્ટન), ઓલિવર પીક, કૂપર કોનોલી, જોશ ફિલિપ (વિકેટકીપર), જેક એડવર્ડ્સ, વિલ સધરલેન્ડ, કોરી રોચીઓલી, ટોડ મર્ફી, હેનરી થોર્ન્ટન.
ભારત A : એન. જગદીસન, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, દેવદત્ત પડિકલ, નીતિશ કુમાર રેડ્ડી, ધ્રુવ જુરેલ (વિકેટકીપર/કેપ્ટન), આયુષ બદોની, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ, ગુર્નુર બ્રાર, માનવ સુથાર.