વિરાટ કોહલી કરશે T20 નિવૃત્તિમાંથી વાપસી, કમબેક વિશે જણાવી આ મહત્વપૂર્ણ વાત

Virat kohli: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે.

 વિરાટ કોહલી કરશે T20 નિવૃત્તિમાંથી વાપસી, કમબેક વિશે જણાવી આ મહત્વપૂર્ણ વાત

Virat kohli: ભારતીય ટીમના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સંકેત આપ્યો છે કે જો કોઈ ચોક્કસ શરત પૂરી થાય છે, તો તે માત્ર એક મેચ માટે નિવૃત્તિ પાછી લઈ શકે છે.

Add Zee News as a Preferred Source

વાસ્તવમાં ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. એવા અહેવાલો છે કે ક્રિકેટને 2028 લોસ એન્જલસ ઓલિમ્પિકમાં સ્થાન મળી શકે છે. જ્યારે વિરાટ કોહલીને આ મુદ્દે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે જો ક્રિકેટને ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવે તો તે માત્ર એક મેચ માટે નિવૃત્તિ પાછી ખેંચવાનું વિચારી શકે છે.

- "I don't know. If we are playing for Gold Medal Match, I will come back for one game and get a Medal and come back home (smiles)". pic.twitter.com/tCCE4Yvcel

— Tanuj Singh (@ImTanujSingh) March 15, 2025

વિરાટ કોહલીએ પોતાના કમબેક વિશે જણાવી આ વાત
ઓલિમ્પિક મેડલ જીતવાની ઈચ્છા વ્યક્ત કરતા વિરાટ કોહલીએ નિવૃત્તિમાંથી વાપસીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે જો ભારતીય ટીમ 2028 ઓલિમ્પિકની ફાઇનલમાં પહોંચે છે તો તે માત્ર એક મેચ માટે નિવૃત્તિ લેવાનું વિચારી શકે છે.

એક ઈવેન્ટમાં બોલતા કોહલીએ કહ્યું, “જો ભારતીય ટીમ 2028 ઓલિમ્પિકની ફાઇનલમાં જગ્યા બનાવી લે છે, તો હું માત્ર એક મેચ માટે નિવૃત્તિ લેવાનું વિચારીશ. ઓલિમ્પિક મેડલ જીતવું ખરેખર શાનદાર રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news