રોહિતે સ્વીકારી BCCIની શરત...કારકિર્દી બચાવવા લીધો મોટો નિર્ણય, કોહલી મુશ્કેલીમાં, જાણો કારણ

રોહિત શર્માનો આ નિર્ણય BCCIના એક આદેશ બાદ આવ્યો છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો સિનિયર ખેલાડીઓ ભવિષ્યની વનડે અને 2027 વર્લ્ડ કપ માટે દાવેદારીમાં રહેવા માંગતા હોય તો તેમણે સ્થાનિક ક્રિકેટમાં રમવું પડશે. રોહિતના આ નિર્ણયથી વિરાટ કોહલી પણ મુશ્કેલીમાં મુકાઈ ગયો છે.

રોહિતે સ્વીકારી BCCIની શરત...કારકિર્દી બચાવવા લીધો મોટો નિર્ણય, કોહલી મુશ્કેલીમાં, જાણો કારણ

ભારતના સ્ટાર ક્રિકેટર રોહિત શર્માએ તેના કરોડો ફેન્સને ખુશ કર્યા છે. BCCIએ તેના માટે એક શરત મૂકી હતી, જેને હિટમેન એ સ્વીકારી લીધી છે. પૂર્વ ભારતીય કેપ્ટને આગામી વિજય હજારે ટ્રોફીમાં રમવાનો નિર્ણય લીધો છે. રોહિતે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ને જાણ કરી છે કે તે 24 ડિસેમ્બરથી શરૂ થનારી વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે.

રોહિત શર્માનો નિર્ણય BCCIના આદેશ બાદ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જો વરિષ્ઠ ખેલાડીઓ ભવિષ્યમાં ODI અને ભારત માટે 2027ના વર્લ્ડ કપ માટે દાવેદારીમાં રહેવા માંગતા હોય તો તેમણે ઘરેલુ ક્રિકેટમાં રમવું પડશે. રોહિતના નિર્ણયે વિરાટ કોહલીને પણ મુશ્કેલીમાં મુકી દીધો છે. 

Add Zee News as a Preferred Source

રોહિતે BCCIની શરત સ્વીકારી

રોહિત શર્મા અને વિરાટ કોહલીએ T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે અને હવે ફક્ત ODI ફોર્મેટમાં જ રમે છે. તેથી, બંનેમાંથી કોઈને પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની વધુ તક મળશે નહીં. તેમની ફિટનેસ અને ફોર્મ ચકાસવા માટે BCCIએ સૂચના આપી કે ROKOને ઘરેલુ ક્રિકેટ રમવું જ પડશે. હિટમેને આ શરત સ્વીકારી અને મુંબઈ ક્રિકેટ એસોસિએશનને જાણ કરી કે તે વિજય હજારે ટ્રોફી માટે ઉપલબ્ધ છે.

બીજી બાજુ વિરાટ કોહલી BCCIના નિર્દેશનું પાલન કરશે કે કેમ તે હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, રોહિતના નિર્ણયથી કોહલી પર સ્થાનિક ક્રિકેટ રમવા માટે સંમત થવાનું દબાણ આવ્યું છે, નહીં તો તેની કારકિર્દી જોખમમાં મુકાઈ શકે છે.

વિરાટ કોહલી મુશ્કેલીમાં

રોહિત શર્માએ BCCIની શરતો સ્વીકારી લીધા પછી હવે વિરાટ કોહલી પર સ્થાનિક ક્રિકેટ રમવાનું દબાણ વધી ગયું છે. જો કોહલી વિજય હજારે ટ્રોફીમાં રમવાનો ઇનકાર કરે છે, તો પ્રશ્નો ઉભા થવાના છે. રોહિતે ઓસ્ટ્રેલિયા સામેની તાજેતરની ODI શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જ્યારે કોહલી પ્રથમ બે મેચમાં રન બનાવ્યા વિના પેવેલિયન પાછો ફર્યો હતો. જોકે, સિડનીમાં ત્રીજી ODIમાં તેણે હિટમેન સાથે મેચ-વિનિંગ ભાગીદારી કરી અને અડધી સદી ફટકારી.

વિજય હજારે ટ્રોફી 2025 24 ડિસેમ્બરથી શરૂ થશે. રોહિત શર્મા તે તારીખે સિક્કિમ સામે મુંબઈ માટે એક્શનમાં જોવા મળે તેવી અપેક્ષા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, બિઝનેસ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું છે. હાલમાં Zee 24 કલાકમાં

...और पढ़ें

Trending news