રોહિત શર્માનો સનસનીખેજ ખુલાસો...ગંભીર અને અગરકર સાથે થયો હતો ઝઘડો, શુભમન ગિલ સાથે છે કનેક્શન

Rohit Sharma : ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એક મોટો ખુલાસો કર્યો છે. હિટમેનના નિવેદને હલચલ મચાવી દીધી છે. તેણે આ ખુલાસો ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સિરીઝમાં લેવાયેલા નિર્ણયને લઈને કર્યો છે. હિટમેને જણાવ્યું કે ગૌતમ ગંભીર અને અજીત અગરકર સાથે તેની આ બાબતે બબાલ થઈ હતી.

રોહિત શર્માનો સનસનીખેજ ખુલાસો...ગંભીર અને અગરકર સાથે થયો હતો ઝઘડો, શુભમન ગિલ સાથે છે કનેક્શન

Rohit Sharma : ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ IPLની વચ્ચે એક મોટો ખુલાસો કર્યો છે. હિટમેને જણાવ્યું કે ગૌતમ ગંભીર અને અજીત અગરકર સાથે ભારત-ઓસ્ટ્રેલિયા ટેસ્ટ દરમિયાન લેવામાં આવેલા એક નિર્ણયને લઈને બબાલ થઈ હતી. રોહિતે કહ્યું કે કોચ અને પસંદગીકારો ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી બહાર રહેવાના મારા નિર્ણય સાથે તેઓ સહમત નહોતા.

રોહિત શર્માએ શું કહ્યું ?

Add Zee News as a Preferred Source

આ ટેસ્ટ સિરીઝમાં એડિલેડ, બ્રિસ્બેન અને મેલબોર્નમાં રમાયેલી મેચમાં કેપ્ટન સતત પાંચ દાવમાં નિષ્ફળ રહ્યો હતો. રોહિતે એક પોટકાસ્ટમાં કહ્યું કે કહ્યું કે, અમે ગિલને કોઈ રીતે પ્લેઈંગ ઈલેવનમાં રાખવા ઈચ્છતા હતા, તે ઘણો સારો ખેલાડી છે. તે છેલ્લી ટેસ્ટ મેચ રમી શક્યો નહોતો. હું બોલને બરાબર નથી રમી રહ્યો તો એ થોડા દિવસની વાત છે બાદમાં બધું બદલાઈ શકે છે.

કોચ સાથે ઝઘડો થયો હતો

રોહિતે આગળ કહ્યું કે, મેં કોચ અને સિલેક્ટર સાથે વાત કરી અને તેઓ આના પર સહમત અને અસહમત હતા. આ મુદ્દે અમારી વચ્ચે ચર્ચા પણ થઈ હતી. તમે ટીમને પ્રાથમિકતા આપવાનો પ્રયાસ કરો છો, તમે માત્ર ટીમને શું જોઈએ છે તે જુઓ અને તે મુજબ નિર્ણય લો. ક્યારેક તે કામ કરશે, ક્યારેક નહીં. આવું જ થાય છે, તમે જે પણ નિર્ણય લેવાનો પ્રયાસ કરો છો તેમાં સફળતાની કોઈ ખાતરી હોતી નથી.

રોહિત આઉટ થયો હતો

રોહિતે જણાવ્યું કે તે શા માટે બહાર થયો હતો. તેણે કહ્યું કે, હું (એડીલેડમાં) સારું રમ્યો નહોતો. મને લાગ્યું કે મારે સારી ઇનિંગ્સ રમવી જોઈતી હતી. હું જે કરું છું તે કરવાનું મને ગમશે અને ત્યાં નિષ્ફળતા પણ મળશે. આ મારી જગ્યા છે, આ મારી સ્થિતિ છે. મને ત્યાં જઈને બેટિંગ કરવાનું ગમશે, મને સફળતા મળે કે ન મળે એ અલગ બાબત છે. પરંતુ હું ટીમ માટે મારી નેચરલ સ્થિતિમાં રમીશ.

હિટમેન છેલ્લી ટેસ્ટમાંથી બહાર થયો હતો

રોહિતે આગળ કહ્યું કે મિડલ ઓર્ડરમાં એક મેચમાં નિરાશા પછી મેં વિચાર્યું કે વધુ ચિંતા કર્યા વિના તેને વધુ એક મેચમાં ચાલુ રાખીએ. અમે બ્રિસ્બેનમાં વસ્તુઓ બદલવાનો પ્રયાસ કરી શકીએ છીએ. તે મેચ ડ્રોમાં સમાપ્ત થઈ, જ્યારે અમે મેલબોર્ન પહોંચ્યા ત્યારે અમે અમારો વિચાર બદલી નાખ્યો. હું ઇનિંગ્સ શરૂ કરવા પાછો ગયો. સિરીઝની છેલ્લી ટેસ્ટમાં મારે મારી જાત સાથે પ્રમાણિક રહેવું હતું. હું બોલને સારી રીતે ફટકારવામાં સક્ષમ નહોતો. હું મારી જાતને માત્ર એટલા માટે ટીમમાં મૂકવા માંગતો નહોતો કારણ કે અમે સંઘર્ષ કરી રહેલા અન્ય ખેલાડીઓને છોડી દીધા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dilip Chaudhary

2020થી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા છે. સ્પોર્ટ્સ, નોલેજ, ગુજરાત, બિઝનેસ, ઓટો, ટેક, જોબ્સ, નેશનલ અને ઈન્ટરનેશનલ સહિત અનેક કેટેગરીમાં કામ કરે છે. આ ઉપરાંત કન્ટેન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે પણ કામ કરેલું

...और पढ़ें

Trending news