Who is Saaniya Chandok: મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે તેની સગાઈ થઈ છે.

Arjun Tendulkar Engagement: મહાન ભારતીય બેટ્સમેન સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરની સગાઈ થઈ ગઈ છે. રિપોર્ટ્સનું માનીએ તો મુંબઈના જાણીતા બિઝનેસમેન રવિ ઘાઈની પૌત્રી સાનિયા ચંડોક સાથે તેની સગાઈ થઈ છે. ઘાઈ ફેમેલીનું હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં એક જાણીતું નામ છે. અર્જુન તેંડુલકર અને સાનિયા ચંડોકની સગાઈ એક ખાનગી સમારોહમાં થઈ હતી. જેમાં પરિવારના સભ્યો અને બન્ને પક્ષના નજીકના મિત્રો હાજર રહ્યા હતા. જો કે, અત્યાર સુધી તેંડુલકર પરિવાર કે ઘાઈ પરિવારે સગાઈ અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડ્યું નથી.
કોણ છે સાનિયા ચંડોક?
સાનિયા મુંબઈના સૌથી પ્રતિષ્ઠિત બિઝનેસ પરિવારોમાંથી એક ઘાઈ પરિવારમાંથી આવે છે. ઘાઈ પરિવાર હોસ્પિટાલિટી અને ફૂડ સેક્ટરમાં એક જાણીતું નામ છે. તેઓ ઇન્ટરકોન્ટિનેન્ટલ હોટેલ અને પ્રખ્યાત આઈસ્ક્રીમ બ્રાન્ડ બ્રુકલિન ક્રીમરીના માલિક છે. ભારત સરકારના સત્તાવાર રેકોર્ડ (કોર્પોરેટ બાબતોના મંત્રાલય) અનુસાર, સાનિયા ચંડોક મુંબઈ સ્થિત Mr. Paws Pet Spa & Store LLPમાં ડેઝિગ્નેટ નિયુક્ત પાર્ટનર અને ડિરેક્ટર છે.
ક્રિકેટર છે અર્જુન તેંડુલકર
25 વર્ષીય અર્જુન ડાબોડી ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર છે, જે ઘરેલુ ક્રિકેટમાં ગોવાનું પ્રતિનિધિત્વ કરે છે. અર્જુન IPL પણ રમી ચૂક્યો છે. અર્જુન તેંડુલકર IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે. અર્જુને 2020/21ની સીઝનમાં મુંબઈ સાથે પોતાની ઘરેલુ કરિયરની શરૂઆત કરી હતી, જ્યાં તેણે હરિયાણા સામેની T20 મેચમાં ડેબ્યૂ કર્યું હતું. આ પહેલા તેણે જુનિયર સ્તરે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને ભારતની અંડર-19 ટીમમાં સ્થાન મેળવ્યું હતું. 2022/23 સીઝનમાં અર્જુન તેંડુલકર ગોવા ટીમમાં જોડાયો હતો, જ્યાં તેણે પોતાને ફર્સ્ટ ક્લાસ અને લિસ્ટ A ડેબ્યૂ કર્યુ હતું.
અર્જુનની ક્રિકેટ કરિયર
લાલ બોલ ક્રિકેટમાં અર્જુને 17 મેચોમાં 532 રન બનાવ્યા છે, જેમાં એક સદી અને બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અર્જુને 37 વિકેટ પણ લીધી છે, જેમાં એક ઇનિંગમાં એક વખત 5 વિકેટ અને બે વખત ઇનિંગમાં 4 વિકેટનો સમાવેશ થાય છે. ગોવા માટે લિસ્ટ A ક્રિકેટ રમતી વખતે અર્જુને 17 મેચોમાં ભાગ લીધો હતો. જેમાં 9 ઇનિંગમાં 76 રન બનાવ્યા હતા.
IPL કરિયર
જો આપણે અર્જુન તેંડુલકરની IPLમાં મુંબઈ ઇન્ડિયન્સ માટે 5 મેચોમાં 73 બોલ ફેંક્યા હતા અને 38.00ની સરેરાશથી 3 વિકેટ લીધી હતી, જેમાં તેનું બેસ્ટ પ્રદર્શન 1/9 હતું. આ દરમિયાન તેણે 9.36નો ઇકોનોમી રેટ અને 24.3નો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો હતો. અર્જુને બેટથી ઘણી તકો મળી ન હતી. અર્જુને 144.44 ના સ્ટ્રાઇક રેટથી 9 બોલમાં 13 રન બનાવ્યા છે.