શાહિદ આફ્રિદીના વિવાદિત નિવેદનથી ભારતીયોનું ઉકળી ઉઠશે લોહી! ફરી એકવાર વધ્યું ટેન્શન

Shahid Afridi: પહલગામમાં થયેલા આતંકી હુમલાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે એકવાર ફરીથી ટેન્શન વધી ગયું છે. આ મામલા પર હવે પાકિસ્તાની પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

શાહિદ આફ્રિદીના વિવાદિત નિવેદનથી ભારતીયોનું ઉકળી ઉઠશે લોહી! ફરી એકવાર વધ્યું ટેન્શન

Shahid Afridi On Pahalgam Terror Attack: જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાથી ભારત અને પાકિસ્તાનની વચ્ચે એકવાર ફરીથી ટેન્શન વધી ગયું છે. આ હુમલા બાદ હન્ને દેશોના ક્રિકેટર્સ પોત પોતાની વાતો સામે રાખી રહ્યા છે. બન્ને દેશોની વચ્ચે તણાવની વચ્ચે પૂર્વ ક્રિકેટર અને દિગ્ગજ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીએ કઈક એવું કહ્યું છે, જેનાથી દરેક ભારતીયનું લોહી ઉકળી ઉઠશે. જોકે તેમણે પહલગામ આતંકી હુમલા માટે પાકિસ્તાનને પુરાવા વગર દોષિત ઠેરવવા માટે ભારતની નિંદા કરી છે.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Khel Shel (@khelshel)

આફ્રિદીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ખુબ જ ખેદજનક છે કે ભારતે એકવાર ફરીથી કોઈ પુરાવા વગર આરોપ-પ્રત્યારોપનો સહારો લીધો છે. આ પ્રકારની કાર્યવાહીથી તણાવ વધે છે અને વિસ્તારમાં અશાંતિ ફેલાય છે. આફ્રિદીએ વધુમાં જણાવ્યું હતું કે આરોપ-પ્રત્યારોપના ખેલમાં સામેલ થવાના બદલે ભારતને મુદ્દાઓને ઉકેલવા માટે વાતચીતમાં ભાગ લેવો જોઈએ અને ક્રિકેટને કોઈ પણ જાતની રાજનીતિથી દૂર રાખવી જોઈએ. આગળ વધવાનો એકમાત્ર રસ્તો વાતચીત છે. હિંસા અને આરોપ-પ્રત્યારોપથી સ્થિતિ વધુ ખરાબ થશે. તમામને ક્રિકેટને રાજનીતિક હસ્તક્ષેપથી મુક્ત રાખવી જોઈએ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news