)
Shreyas Iyer : મુંબઈ ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને દુલીપ ટ્રોફી 2025માં વેસ્ટ ઝોન ટીમના કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેણે તેને ઠુકરાવી દીધી. આ પછી ગયા અઠવાડિયે પસંદગીકારોએ શાર્દુલ ઠાકુરને 28 ઓગસ્ટથી શરૂ થનારી દુલીપ ટ્રોફી ટુર્નામેન્ટ માટે વેસ્ટ ઝોન ટીમનો કેપ્ટન બનાવ્યો હતો.
શ્રેયસે વેસ્ટ ઝોનનો કેપ્ટન બનવાની ઓફર ઠુકરાવી
મીડિયા અહેવાલ મુજબ, શ્રેયસ ઐયરને અગાઉ દુલીપ ટ્રોફી માટે વેસ્ટ ઝોન ટીમનું કેપ્ટનશીપ સંભાળવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણે તેનો ઇનકાર કરી દીધો હતો કારણ કે તેને આશા હતી કે તેને એશિયા કપ 2025 માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે. જોકે, તેને ભારતની 15 સભ્યોની ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નહોતું અને તેને રિઝર્વ ખેલાડીઓની યાદીમાં પણ સામેલ કરવામાં આવ્યો નહોતો.
એક સૂત્રએ દાવો કર્યો હતો કે શ્રેયસ ઐયરને પહેલા કેપ્ટનશીપની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તેને નકારી કાઢી હતી. સૂત્રએ જણાવ્યું હતું કે શ્રેયસના નિર્ણય પછી, પશ્ચિમ ઝોન પસંદગી સમિતિના અધ્યક્ષ સંજય પાટીલે શાર્દુલ ઠાકુરનો સંપર્ક કર્યો હતો જેને કેપ્ટન બનવાની ઓફર ખુશીથી સ્વીકારી લીધી હતી. આ ઉપરાંત અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે કેપ્ટનશીપ ઓફર નકારવા છતાં શ્રેયસ ટુર્નામેન્ટ માટે ઉપલબ્ધ હતો.
દુલીપ ટ્રોફી 2025 માટે પશ્ચિમ ઝોનની ટીમ
શાર્દુલ ઠાકુર (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, આર્ય દેસાઈ, હાર્વિક દેસાઈ (વિકેટકીપર), શ્રેયસ અય્યર, સરફરાઝ ખાન, ઋતુરાજ ગાયકવાડ, જૈમીત પટેલ, મનન હિંગરાજિયા, સૌરભ નાવલે (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, ધર્મેન્દ્રસિંહ જાડેજા, તુષાર દેશપાંડે, અર્જન નાગવાસવાલા.