)
Smriti Mandhana Palash Muchhal Marriage: ભારતની સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના અને પલાશ મુચ્છલના લગ્ન હાલમાં ચર્ચાનો વિષય બન્યા છે. અગાઉ 23 નવેમ્બરે બંનેના લગ્ન થવાના હતા. હલ્દી અને સંગીત નાઇટ પણ થઈ ગઈ હતી, પરંતુ એવું કહેવાઈ રહ્યું છે કે લગ્નના દિવસે મંધાનાના પિતાની તબિયત બગડતાં લગ્ન ટળી ગયા. એવું પણ સામે આવ્યું હતું કે પલાશ મુચ્છલને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, હવે એવા અહેવાલો આવી રહ્યા છે કે લગ્ન 7 ડિસેમ્બરે થવાના છે. આખરે આમાં કેટલું સત્ય છે, તે સ્મૃતિ મંધાનાના ભાઈએ પોતે જણાવી દીધું.
સ્મૃતિ મંધાનાના ભાઈએ કર્યો મોટો ખુલાસો
સ્મૃતિ મંધાનાના ભાઈ શ્રવણ મંધાનાએ વચ્ચે આવીને મામલો શાંત પાડ્યો. તેમણે આ વાતની પુષ્ટિ કરી કે લગ્નની કોઈ નવી તારીખ નક્કી કરવામાં આવી નથી અને ઓનલાઈન ચાલી રહેલી આ તમામ વાતો સંપૂર્ણપણે ખોટી છે. તેમણે કહ્યું, "મને આ અફવાઓ વિશે કોઈ જાણકારી નથી. હાલમાં લગ્નહજી પણ ટળેલાં છે. તમને " જણાવી દઈએ કે સ્મૃતિ અને મ્યુઝિક કમ્પોઝર પલાશ મુચ્છલ એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યા હતા. જોકે, ઘણા સમય સુધી બંનેનો સંબંધ અંગત રહ્યો હતો.
મંધાનાએ લગ્નના ફોટોઝ-વીડિયો હટાવ્યા
આ લગ્ન ટળ્યા બાદ સ્મૃતિ મંધાનાએ લગ્નના ફોટોઝ અને વીડિયો હટાવી દીધા. તેમણે પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગ્નને કારણે કેટલાક વીડિયો અને ફોટોઝ શેર કર્યા હતા, પરંતુ લગ્ન ટળ્યા પછી મંધાનાએ તે બધા હટાવી દીધા.
સ્મૃતિ મંધાનાની ક્રિકેટ કરિયર
29 વર્ષીય સ્મૃતિ મંધાનાએ ભારત માટે અત્યાર સુધીમાં 7 ટેસ્ટ, 117 વનડે અને 153 ટી20 મેચ રમી છે. ટેસ્ટમાં તેના નામે 629, વનડેમાં 5322 અને ટી20માં 3982 રન છે. સ્મૃતિ મંધાનાએ તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 17 સદી અને 68 અડધી સદી ફટકારી છે. તેણે WPLની 26 મેચમાં 646 રન બનાવ્યા છે.