ગંભીર કરશે રોહિતની કિસ્મતનો નિર્ણય? ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ કેપ્ટનશિપને લઈને જબરદસ્ત ચર્ચા

ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ખિતાબ રોહિત શર્મા માટે સંજીવની બુટ્ટીનું કામ કર્યું છે. રોહિત શર્માને હવે જૂન-ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની સીરઝ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રાખવામાં આવી શકે છે.

ગંભીર કરશે રોહિતની કિસ્મતનો નિર્ણય? ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ટેસ્ટ કેપ્ટનશિપને લઈને જબરદસ્ત ચર્ચા

રોહિત શર્માની કપ્તાનીવાળી ટીમ ઈન્ડિયાએ તાજેતરમાં આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ટાઈટલ કબજે કર્યું છે. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ખિતાબ રોહિત શર્મા માટે સંજીવની બુટ્ટીનું કામ કરી રહ્યું છે. રોહિત શર્માને હવે જૂન-ઓગસ્ટમાં ઇંગ્લેન્ડ સામેની આગામી પાંચ મેચની સીરિઝ માટે ટેસ્ટ કેપ્ટન તરીકે ચાલુ રાખવામાં આવી શકે છે. તેની કેપ્ટન્સીમાં રોહિત શર્માએ 9 મહિનામાં ભારતને સતત બીજો ICC ખિતાબ જીતાડ્યો છે. ICC T20 વર્લ્ડ કપ 2024 અને ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતેલી ટ્રોફી રોહિત શર્માના રિપોર્ટ કાર્ડમાં સામેલ કરવામાં આવી છે.

ગંભીર કરશે રોહિતની કિસ્મતનો નિર્ણય?
ટેસ્ટ કેપ્ટનશિપની વાત કરીએ તો રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને છેલ્લી આઠ ટેસ્ટ મેચોમાં 6 પરાજયનો સામનો કરવો પડ્યો હતો, જેમાં ઘરઆંગણે ન્યૂઝીલેન્ડના હાથે 0-3થી હારનો પણ સમાવેશ થાય છે. પરિણામે, ભારત પ્રથમ વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલમાં પ્રવેશ કરવામાં નિષ્ફળ રહ્યું. રોહિત શર્મા લાંબા સમયથી ટેસ્ટ ફોર્મેટમાં બેટથી ફ્લોપ રહ્યો છે. રોહિત શર્માએ આ વર્ષે રણજી ટ્રોફીમાં પણ પુનરાગમન કર્યું હતું અને જમ્મુ-કાશ્મીર સામે મુંબઈનું પ્રતિનિધિત્વ કર્યું હતું. જોકે તે આ તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ રહ્યો હતો. જો કે, સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન તરીકે યથાવત છે કારણ કે તેણે સિડનીમાં છેલ્લી મેચથી પોતાને દૂર રાખ્યો હતો.

Add Zee News as a Preferred Source

ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટેસ્ટ કેપ્ટનશિપને લઈને ભારે ચર્ચા
પીટીઆઈએ બીસીસીઆઈના એક સૂત્રને ટાંકીને કહ્યું કે, 'ટેક્નિકલી રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન રહેશે. તેણે સ્વેચ્છાએ પોતાની જાતને સિડનીમાં છેલ્લી ટેસ્ટમાંથી બહાર રાખ્યો, જ્યાં તેણે સમજાવ્યું કે એક ટીમ ઘણા બધા આઉટ ઓફ ફોર્મ બેટ્સમેન સાથે રમી શકે નહીં. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી બાદ ભારતે કોઈ ટેસ્ટ મેચ રમી નથી અને તેથી ટેસ્ટ કેપ્ટનશીપમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઉપરાંત, રોહિત શર્માએ ક્યારેય કહ્યું નથી કે તે ટેસ્ટ મેચ રમવા માંગતો નથી.

કોચ ગંભીરની ભૂમિકા ઘણી મહત્વની...
આ જ અહેવાલમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે અંતિમ નિર્ણય પછીથી લેવામાં આવશે, કારણ કે મુખ્ય કોચ ગૌતમ ગંભીરનું વિઝન લાંબા ફોર્મેટ માટે સુકાનીપદ નક્કી કરવામાં ઘણું મહત્વ ધરાવે છે. સૂત્રએ કહ્યું, 'IPL દરમિયાન પસંદગી સમિતિને આરામ મળે છે. 

દેખીતી રીતે બધી મેચો ટેલિવિઝન પર પ્રસારિત થતી હોવાથી તેઓને હંમેશા મુસાફરી કરવાની જરૂર હોતી નથી સિવાય કે તેમની પાસે કોઈ ચોક્કસ વ્યૂહરચના હોય અથવા કોઈ ચોક્કસ ખેલાડીને નજીકથી જોવા માંગતા હોય. તેથી IPL શરૂ થયા પછી ઇંગ્લેન્ડ શ્રેણીની બ્લુપ્રિન્ટ અમુક સમયે તૈયાર કરવામાં આવશે, પરંતુ (કોચ) ગૌતમ ગંભીરનું વિઝન ખૂબ મહત્વનું રહેશે.

સંન્યાસ લઈ રહ્યો નથી રોહિત શર્મા 
ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાંથી હટી ગયા બાદ રોહિત શર્માએ પુષ્ટિ કરી છે કે તે નિવૃત્તિ લઈ રહ્યો નથી અને ક્યાંય જઈ રહ્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ પણ રોહિતે ફરી કહ્યું કે તે ODI ક્રિકેટમાંથી સંન્યાસ લઈ રહ્યો નથી. ચેમ્પિયન્સ ટ્રોફી જીત્યા બાદ રોહિતે કહ્યું, 'એક બીજી વાત. હું આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નથી. ફક્ત ખાતરી કરવા માટે કે વધુ અફવાઓ ન ફેલાય. તમારો ખૂબ ખૂબ આભાર.'
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Kinjal Patel

કિંજલકુમાર પટેલ ZEE 24 કલાકમાં સિનિયર સબ એડિટર છે. પત્રકાર ક્ષેત્રમાં 10 વર્ષથી વધુનો અનુભવ છે. હાલ ગુજરાતના સ્થાનિક સમાચાર, ગુજરાતના ક્રાઈમ સમાચાર, કરન્ટ અફેર્સ, ગુજરાતની રાજનીત

...और पढ़ें

Trending news