)
Asia Cup 2025 : ભારતીય ક્રિકેટ ટીમે એશિયા કપ 2025માં પોતાના અભિયાનની શરૂઆત UAE સામે શાનદાર જીત સાથે કરી છે. હવે તેનો સામનો 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે થશે. આ મેચમાં કુલદીપ યાદવે ઘાતક બોલિંગ કરી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો. તેણે 2.1 ઓવરમાં 7 રન આપીને 4 વિકેટ લીધી. આ પ્રદર્શન છતાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોમેન્ટેટર સંજય માંજરેકરે માને છે કે કુલદીપને પાકિસ્તાન સામેની આગામી મેચમાં બહાર કરી શકાય છે.
માંજરેકરે કર્યો કટાક્ષ
માંજરેકરે ભારતીય ટીમ મેનેજમેન્ટ પર કટાક્ષ કરતા કહ્યું કે કુલદીપના શાનદાર પ્રદર્શન પછી તે આગામી મેચ રમી શકશે નહીં. તેમણે ટ્વિટર પર લખ્યું, "કુલદીપે એક ઓવરમાં 3 વિકેટ લીધી છે. હવે તે કદાચ આગામી મેચ નહીં રમે." માંજરેકરનો આ મજેદાર કટાક્ષ હતો, કારણ કે કુલદીપને ઘણીવાર પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર રાખવામાં આવે છે. ગયા વર્ષે જૂનમાં દક્ષિણ આફ્રિકા સામે 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલ પછી કુલદીપની આ પહેલી T20 આંતરરાષ્ટ્રીય મેચ પણ હતી. તેના પ્રભાવશાળી રેકોર્ડ છતાં ભારતીય મેનેજમેન્ટે તેને ઇંગ્લેન્ડમાં તાજેતરની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી દરમિયાન બેન્ચ પર રાખ્યો હતો. ટીમ મેનેજમેન્ટને આ માટે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
Kuldeep has 3 in one over. May not play the next game now. ?
— Sanjay Manjrekar (@sanjaymanjrekar) September 10, 2025
માંજરેકરે કુલદીપને પૂછ્યો પ્રશ્ન
જ્યારે કુલદીપને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો, ત્યારે માંજરેકરે તેને સીધો પ્રશ્ન પૂછ્યો, "મેં છેલ્લા કેટલાક વર્ષોમાં એક વાત નોંધી છે કે તમે ભારત માટે દરેક મેચ રમતા નથી અને તમારી રમતમાં આ ગાબડા આવતા રહે છે. પરંતુ જ્યારે તમે પાછા આવો છો, ત્યારે તમે આ રીતે પ્રદર્શન કરો છો. તમે હંમેશા તમારા શ્રેષ્ઠ પ્રદર્શનમાં પાછા આવો છો. તમે તે કેવી રીતે કરો છો?"
ભારતીય સ્પિનરનો રમુજી જવાબ
આના પર, કુલદીપે કહ્યું, ''મારા માટે તે મુશ્કેલ હતું.'' આ પછી, તેનું માઈક અચાનક બંધ થઈ ગયું. આ સાંભળીને હસતાં હસતાં માંજરેકરે તેને બીજું માઈક આપ્યું અને કહ્યું, ''કદાચ તમારું માઈક તમે જે કહી રહ્યા છો તે બધું રેકોર્ડ કરી રહ્યું નથી. તો ચાલો આનો ઉપયોગ કરો.'' કુલદીપે આગળ કહ્યું, "આ ફોર્મેટમાં, બોલની લેન્થ અને બેટ્સમેન શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તે સમજવું મહત્વપૂર્ણ છે. ઉપરાંત, બેટ્સમેન તમારી સામે શું કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તેના પર પ્રતિક્રિયા આપવી પણ મહત્વપૂર્ણ છે.