%E0%AA%B8%E0%AB%80%E0%AA%AC%E0%AB%80%E0%AA%8F%E0%AA%B8%E0%AA%88 News

CBSEની જેમ હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી
કોરોના મહામારીને જોતા હવે ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી માંગ ઊઠી છે. અભ્યાસક્રમમાં ઘટાડો કરવાની માંગ મુદ્દે ઝી 24 કલાક એ શિક્ષક અને રાજ્ય શાળા સંચાલક મહામંડળના પ્રમુખ સાથે વાત કરી હતી. CBSE બોર્ડે ધોરણ 9 થી 12માં 30% અભ્યાસક્રમમાં ઘટાડો કરતા ગુજરાત બોર્ડ પણ સમયસર નિર્ણય લે તેવી માંગ ઉઠી રહી છે. શાળા સંચાલક મહામંડળના પ્રમુખ ભાસ્કર પટેલના અનુસાર CBSE બોર્ડ કરતા પણ વધુ કોર્ષ ગુજરાત બોર્ડે ઘટાડવાની ફરજ પડશે. સરકાર આગામી વર્ષે એપ્રિલ મહિનાથી શાળાઓ શરૂ કરવા માગે છે તો એ દિશામાં વિચારણા કરીને ચાલુ વર્ષે કોર્ષ ઘટાડવા અંગે નિર્ણય કરવો જરૂરી છે. હાલ જુલાઈ સુધી સ્કૂલ ખુલશે નહિ, અને ભવિષ્ય પણ અનિશ્ચિત છે. ત્યારે લગભગ 60 દિવસનો અભ્યાસ શક્ય બનવાનો નથી. તો બીજી તરફ, શિક્ષક, વાલી અને શાળા સંચાલકોની માગને જોતા હાલ રાજ્ય સરકારે પણ CBSE બોર્ડના નિર્ણય અને હાલની શૈક્ષણિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને કોર્ષમાં કેટલો ઘટાડો કરી શકાય તે અંગે વિચારણા શરૂ કરી છે. આગામી સમયમાં ગુજરાત બોર્ડ પણ અભ્યાસક્રમમાં ઘટાડો કરે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. 
Jul 9,2020, 9:29 AM IST
CBSEની મોટી જાહેરાત, Lockdown દરમિયાન પોતાના હોમ ટાઉનમાં આપી શકે છે પરીક્ષા
કોવિડ-19ને ધ્યાનમાં રાખી લાગુ કરવામાં આવેલું લોકડાઉન દરમિયાન જે બાળકો પોતાના વતન અથવા અન્ય પ્રદેશમાં જતા રહ્યાં છે, તેમને વધારે પરેશાન થવાની જરૂર નથી કેમ કે, સીબીએસઈ તેમની 10માં અને 12માં ધોરણની પરીક્ષા તેમના જિલ્લામાં કરાવવાનો પ્રયાસ કરી રહી છે. માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આ જાણકારી આપી હતી. નિશંકે કહ્યું, કોવિડ-19 સંકટના કારણે હજારો બાળકો તેમના ગૃહ પ્રદેશમાં જતા રહ્યાં હતા. આવી સ્થિતિમાં બોર્ડ પરિક્ષાઓમાં સામેલ થવા જઈ રહેલા વિદ્યાર્થીઓની સમસ્યાને ધ્યાનામાં રાખી કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (સીબીએસઈ)એ આ નિર્ણય કર્યો છે કે, આવા વિદ્યાર્થી બોર્ડ પરીક્ષા તેમના ગૃહ જિલ્લામાં આપી શકે છે.
May 27,2020, 20:27 PM IST

Trending news