આત્મહત્યા News

ખાઈ-પીને જલસા કરવામા માનતા રાજકોટિયન્સને કેમ મરવાના વિચાર આવે છે?
રાજકોટમાં આત્મહત્યાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. રંગીલું રાજકોટ જાણે આત્મહત્યાનું કેપિટલ બની રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજકોટમાં 2104 લાકોએ આત્મહત્યા કરી છે. એક અઠવાડિયામાં સરેરાશ 12થી 13 આપઘાતના કિસ્સા સામે આવે છે. મહત્વની વાત એ પણ છે કે, પુરુષો કરતા સ્ત્રીઓ વધુ આત્મહત્યા કરે છે. રાજકોટમાં છેલ્લા સાત દિવસમાં 12થી વધુ આત્મહત્યાના કેસ સામે આવ્યા છે. લોકોને અકાળે આત્મહત્યા કરવા બચાવવા માટે અનેક પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન 2 વર્ષથી કાઉન્સેલિંગ સેન્ટર ચલાવી રહ્યું છે. જેમાં આત્મહત્યાના વિચારો આવનારા અઠવાડિયે 20થી 22 લોકો કાઉન્સેલિંગ માટે આવે છે. 
Mar 23,2022, 12:41 PM IST

Trending news