જ્યોતિરાદિત્ય સિંધિયા News

શિવરાજસિંહ ચૌહાણ બન્યા MP ના નવા CM, બળવાખોર ધારાસભ્યો અંગે કરી મોટી વાત
શિવરાજસિંહ ચૌહાણે 15 મહિનાના બ્રેક બાદ ચોથી વખત મધ્યપ્રદેશનાં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણની તુરંત બાદ શિવરાજસિંહે ટ્વીટ કરતા MPનું રાજકારણ ગરમાવનારા કોંગ્રેસનાં બળવાખોર ધારાસભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, જે 22 પુર્વ ધારાસભ્યોએ પોતાની પાર્ટીનું સભ્યપદ ત્યાગીને ભાજપનું સભ્યપદ ગ્રહણ કર્યું છે, તે સાથીઓનો આભાર અને ધન્યવાદ. આશ્વસ્ત કરૂ છું કે આશા પર ખરો ઉતરીશ અને તેમનાં વિશ્વાસને નહી તુટવા દઉ. ઉલ્લેખનીય છે કે, 15 મહિના સુધી ચાલેલી કમલનાથ સરકારે રાજીનામું આપી દીધું છે. જેના પગલે ભાજપ ફરી એકવાર સત્તામાં આવ્યું છે. આ દરમિયાન બે અઠવાડીયા કરતા પણ વધારે સમય સુધી ચાલેલ રાજકીય મહાભારતમાં ભાજપ દાવો કરતું રહ્યું છે કે તેમનું મધ્યપ્રદેશની કમલનાથ સરકારને તોડી પાડવામાં કોઇ હાથ નથી. આ બધુ કોંગ્રેસનાં આંતરિક કલહનું જ પરિણામ છે.
Mar 23,2020, 23:37 PM IST
Big Breaking : ફ્લોર ટેસ્ટ પહેલા જ મુખ્યમંત્રી કમલનાથે કરી રાજીનામાની જાહેરાત
મધ્ય પ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવા જઈ રહ્યો છે, જેના પહેલા અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, મુખ્યમંત્રી કમલનાખ રાજીનામુ આપશે. પરંતુ આ પહેલા તેમણે પોતાના ઘરે તમામ કોંગ્રેસા ધારાસભ્યોને બોલાવ્યા હતા. તેમજ એ બાબતના પણ સંકેત મળ્યા કે, શું કમલનાથની સાથે તમામ કોંગ્રેસી ધારાસભ્યો રાજીનામુ આપશે. આ મામલે કમલનાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે મીડિયા સંબોધનમાં કહ્યું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. કોંગ્રેસને સૌથી વધુ સીટ મળી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં મુખ્યમંત્રીના શપથ લીધા હતા. મેં 15 મહિના સુધી મારા રાજ્યની સેવા કરી. પણ મારો શું વાંક હતો કે, મારી સામે ષડયંત્ર કરવામાં આવ્યું. 
Mar 20,2020, 13:39 PM IST

Trending news