ડાકોર News

ડાકોરમાં રણછોડરાયની સ્થાપનાને આજે 866 વર્ષ પૂરા થયા, ભક્ત બોડાણા સાથે પધાર્યા હતા
Nov 19,2021, 13:43 PM IST
ડાકોરમાં દર્શનાર્થીઓનાં ટોળા જોઇ આખરે ઓનલાઇન રજીસ્ટ્રેશનનો નિયમ રદ્દ કરાયો
યાત્રાધામ ડાકોરમાં શરદપૂનમના દિવસે કોરોના મહામારી વચ્ચે ભગવાન રણછોડના દર્શન માટે હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. દર્શન માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન ફરજીયાત નિયમના કારણે દર્શનાર્થીઓને નિયંત્રિત કરવા માટે પોલીસ અને મંદિર મેનેજમેન્ટ માટે અઘરૂ કામ હતું. બીજી તરફ સરકારી તંત્રની કોવિડ 19 ગાઇડલાઇનના નિયમનું પાલન કડકાઇથી કરવામાં આવ્યું હતું. જો કે જેના કારણે દર્શનાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે ઘર્ષણની સ્થિતી પેદા થઇ હતી. તો બીજી તરફ મોકો જોઇને સ્થાનિકો દ્વારા ઓનલાઇન દર્શનના રજીસ્ટ્રેશન માટે દુકાનો ખોલીને બેસી ગયા હતા. રજીસ્ટ્રેશન માટે 10 રૂપિયા વસુલવામાં આવતા હોવાનું પણ સામે આવ્યું હતું. 
Oct 31,2020, 23:32 PM IST
ઠાકોરજીના દર્શન માટે આખી રાત ડાકોર મંદિરની બહાર બેસી રહ્યા હતા ભક્તો
હોળીનો તહેવાર સમગ્ર રાજ્યના કૃષ્ણ મંદિરોમાં ધામધૂમ પૂર્વક ભાવ અને શ્રદ્ધાથી ઉજવવામાં આવી રહ્યો છે. ખાસ કરીને રાજ્યના ડાકોર શામળાજી દ્વારકા જેવા મંદિરોમાં આ તહેવારનું વિશેષ મહત્વ છે, ત્યારે યાત્રાધામ શામળાજી ખાતે પણ આજે ફાગણી પૂર્ણિમા અને હોળી ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. શામળાજી યાત્રાધામ ખાતે વહેલી સવારથી જ હજારો ભક્તો ભગવાન શામળીયાના દર્શને ઉમટયા હતા અને ભગવાનના દર્શન માટે લાઈનોમાં જોડાયા હતા. ઠાકોરજીની શણગાર આરતી સમયે શામળીયાને પુજારી અને મુખ્યાજી દ્વારા ચાંદીની પિચકારીમાં કેસુડાંનો રંગ ભરી તેમજ અબીલ ગુલાલ ની છોળો ઉડાડી હોળી રમાડાઈ હતી. તો બપોર બાદ ભીડમાં ઘટાડો થયો હતો.
Mar 9,2020, 17:15 PM IST

Trending news