પટિયાલા હાઉસ કોર્ટ News

ડરના માર્યે ધ્રૂજ્યા નિર્ભયાના આરોપીઓના હાથપગ, શિફ્ટ કરાયા ફાંસીવાળા બેરેક
નિર્ભયા (Nirbhaya case) ના તમામ આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે. તેઓને અલગ અલગ સેલમાં રાખવામાં આવ્યા છે. પહેલા અક્ષય, મુકેશ જેલ નંબર 2માં હતા અને પવનને મંડોલી જેલથી તિહારની જેલ નંબર 2માં શિફ્ટ કરવામાં આવ્યો હતો. જ્યારે કે, વિનય જેલ નંબર 4માં હતો. હવે ચારેય આરોપીઓને જેલ નંબર 3માં શિફ્ટ કરવામાં આવ્યા છે, જેમાં ફાંસી (Death sentence) નો રૂમ પણ છે. સંસદ ભવન પર હુમલો કરનાર આરોપી અફઝલ ગુરુને પણ આ જ બેરેકમાં રાખવામાં આવ્યો હતો, અને બાદમાં તેને ફાંસી લગાવાઈ હતી. હકીકતમાં, તિહાર જેલ (Tihar jail) માં માત્ર બેરક નંબર 3માં જ ફાંસીનો રૂમ છે. તેથી જે આરોપીઓને ફાંસી લાગવાની હોય છે, તેઓને આ બેરેકમાં શિફ્ટ કરવામાં આવે છે. 
Jan 17,2020, 10:36 AM IST

Trending news