પતિ News

PATAN માં પતિએ પત્નીની હત્યા કર્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ચકચાર
શહેરમાં ઘરકંકાસના કારણે એક પરિવારનો માળો વિખેરાયો છે. ઘરકંકાસથી કંટાળી પતિએ પત્નીની હત્યા નિપજાવ્યા બાદ પોતે પણ આત્મહત્યા કરી લેતા ત્રણ સંતાનોએ માતાપિતાની છત્રછાયા ગુમાવવાનો વારો આવ્યો છે. પોલીસે બંનેના મૃતદેહનો કબજો લઈ વધુ તપાસ હાથ ધરી છે. પાટણ શહેરમાં આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘરકંકાસની નજીવી બાબતે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતાર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પાટણ હાઇવે માર્ગ પર આવેલ સુરમ્ય રેસીડેન્સીમાં ઘર નંબર 28 માં રહેતા જીવનજી ઠાકોર રહે છે. 20 વર્ષ પહેલાં તેમની દીકરી જ્યોત્સનાના લગ્ન લવારા ગામના કનૂજી ઠાકોર સાથે થયા હતા. તેમના પરિવારમાં ત્રણ સંતાન હતા અને છેલ્લા દોઢ વર્ષથી પતિ પત્ની વચ્ચે પારિવારિક કંકાસ વારંવાર થતા પત્ની જ્યોત્સના રિસાઈને તેમના પિતાના ઘરે પાટણ જતી રહી હતી. 
Sep 17,2021, 22:00 PM IST
Nadiad: મિત્રને ઘરે ગયેલા યુવકને મિત્રની પત્નીએ કહ્યું, મારા પતિ તો નથી પણ હું તો છુ
Feb 10,2021, 0:12 AM IST
પતિનો 25 લાખનો વીમો પકવવા માટે ભાઇની મદદથી પત્નીએ ફિલ્મી અંદાજમાં કરી નાખી હત્યા
  ગોંડલ તાલુકાના વેકરી ગામ નજીકના ડેમમાં ગત્ત મોડી રાત્રેએ કારમાં 2 પુરૂષોના લાશ મળી આવી હતી. મર્ડર મિસ્ટ્રીની ઘટનામાં પતિની 8 વીઘા જમીન અને 25 લાખની પોલિસી માટે પત્ની અને મૃતકના સાળાએ કાવતરૂ ઘડી તેને મોતને ઘાટ ઉતાર્યો હોવાની વિગતો સામે આવી છે. જૂનાગઢ LCB એ મૃતકના સાળાને દબોચી લઇને ગોંડલ તાલુકા પોલીસને સોંપ્યો છે. જ્યારે મૃતકની પત્નીની શોધખોલ ચાલી રહી છે. ઘટનાની વિગતે મળતી માહિતી અનુસાર જૂનાગઢ રહેતા રમેશભાઇ કલાભાઇ બાલધા તેની પત્ની મંજુ ઉર્ફે મરિયન અને રમેસભાઇના સાળા એટલે કે મંજુના ભાઇ નાનજી ઉર્ફે નાસીર ભીમા ત્રણ દિવસ પહેલા ચોટીલા ચામુંડા માતાના દર્શન કરવા માટે ગયા હતા. 
Oct 16,2020, 16:08 PM IST

Trending news