વડાપ્રધાન મોદી News

AHMEDABAD: ગુજરાતી ગૌરવ માના પટેલ સાથે PM મોદીએ કરી વાતચીત, શુભેચ્છાઓ પાઠવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટોક્યો ઓલિમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહેલા રમતવીરો સાથે સંવાદ કર્યો હતો. ગુજરાતની છ દીકરીઓ પણ આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેના સંવાદમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરની સ્વિમર માના પટેલે સંવાદમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની વાતચીતનો વીડિયો સામે આવ્યો છે. 23 જુલાઈથી 8 ઓગસ્ટ દરમિયાન જાપનના ટોક્યોમાં યોજાશે ઓલિમ્પિક 2021 બેંગ્લોર ખાતેથી પીએમ મોદી સાથેના સંવાદમાં માના પટેલ જોડાઈ હતી. ટોક્યો ઓલિમ્પિક્સમાં ભાગ લેનાર ભારતીય ખેલાડીઓ સાથે પીએમ મોદીએ કર્યો સંવાદ કર્યો હતો. જુદી જુદી રમતો સાથે જોડાયેલા ખેલાડીઓનો પીએમ મોદીએ ઉત્સાહ વધાર્યો હતો. 
Jul 13,2021, 23:36 PM IST
PM મોદી કરશે ખેડૂતો સાથે મનની વાત, ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવ્યું ખાસ આયોજન
25 ડિસેમ્બરે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી મોદી ફરી એકવાર દેશભરના ખેડૂતો સુધી પહોંચશે. દેશમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે પીએમ મોદી 25 ડિસેમ્બરે બપોરે 12 કલાકે મોદી સરકારની કૃષિલક્ષી યોજનાઓ, કૃષિ કાયદાઓ અંગે ખેડૂતોને સંબોધન કરશે. જેનું સીધું પ્રસારણ મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં થશે. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો સુધી પહોંચવા માટે ભાજપે દેશભરમાં આયોજન કર્યું છે. જેમાં દરેક ગામડાઓમાં 100-100 લોકોની હાજરીમાં કાર્યક્રમ યોજાશે. જેમાં જે તે રાજ્યોના ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, પ્રદેશ પ્રમુખો, સાંસદો, ધારાસભ્યો હાજર રહેશે. ખેડૂતો સુધી મોદી સરકારની વાત પહોંચાડવા તમામ આગેવાનોને 2-2 દિવસ ગ્રામ્ય વિસ્તારમાં રહેવા સૂચના આપવામાં આવી છે. 
Dec 22,2020, 8:55 AM IST
PM મોદી કાલે કચ્છનાં નવા ઔદ્યોગિક અધ્યાયની કરશે શરૂઆત,જાણો શું છે પ્રોજેક્ટનું મહત્વ
Dec 14,2020, 17:51 PM IST
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાટે PM નું રાત્રીરોકાણ, સવારે જમ્મુ કાશ્મીર& ગુજરાત પોલીસની પરેડ
પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. સવારે 11.30 વાગ્યે તેઓ ગાંધીનગરથી સીધા જ કેવડિયા જવા માટે રવાના થયા હતા. બપોર બાદ તેઓ તેઓએ સફારી પાર્કનું લોકાર્પણ કર્યું હતું. હાલ તેઓ જંગલ સફારી પાર્કની મુલાકાત લઇ રહ્યા છે. આ ઉપરાંત તેમણે માખણ પણ વલોવ્યું હતું. ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કમાં આવેલી ટોય ટ્રેનની મુસાફરી પણ કરી હતી. 5D ફિલ્મ પણ જોઇ હતી. આ અગાઉ મોદીએ આરોગ્ય વનનું લોકાર્પણ કર્યું અને ત્યાર બાદ 17 એકરમાં ફેલાયેલા આરોગ્ય વનની મુલાકાત લઇને તેના અંગે માહિતી મેળવી હતી. ત્યાર બાદ પીએમ એકતા મોલ અને ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્કનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્યપાલ સતત તેઓની સાથે છે. 
Oct 30,2020, 17:51 PM IST
PM એ ડાયનેમિક ડેમ લાઇટિંગ,ગ્લો ગાર્ડન,સફારીપાર્ક,ક્રુઝ અને કેક્ટસ ગાર્ડનનું ઉદ્ધાટન
પીએમ નરેન્દ્ર મોદી (narendra modi) ના બે દિવસીય ગુજરાત પ્રવાસનો આરંભ થયો છે. તેઓ ખાસ વિમાન દ્વારા ગુજરાત આવી પહોંચ્યા છે. તેમના આગમનને લઈને અમદાવાદ એરપોર્ટ પર ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તો સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી તેઓ ગાંધીનગર જવા રવાના થયા હતા. જોકે, પોતાના શિડ્યુલ કરતા પીએમ મોદી વહેલા ગુજરાત પહોંચ્યા હતા. જ્યા તેઓ કેશુબાપા અને કનોડિયા પરિવારને મળ્યા હતા. જેના અમદાવાદથી સીધા જ તેઓ કેવડિયા જવા રવાના થયા હતા. તેઓ હીરાબાને મળ્યા ન હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં તેઓ વિવિધ 17 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવાનાં છે.
Oct 30,2020, 20:14 PM IST
PM મોદી કાર્યક્રમમાં પરિવર્તન કરી વહેલી સવારે કેશુબાપાના પરિવારની મુલાકાત લેશે
રાજ્યમાં 31 ઓક્ટોબરથી બે સ્થળેથી સી પ્લેન સેવા શરૂ થઇ રહી છે. 31મી ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્રમ મોદી કેવડિયાથી સી પ્લેનમાં બેસીને અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ આવવાનાં છે. જેના કારણે પીએમ મોદીનું 30 ઓક્ટોબરે સાંજે 3 વાગ્યે કેવડિયા હેલિપેડ ખાતે આગમન થવાનો કાર્યક્રમ નિર્ધારિત હતો. જો કે સી પ્લેનનાં ઉદ્ધાટનની તૈયારીઓ વચ્ચે ગુજરાતનાં રાજકીય ભીષ્મપિતામહ કેશુભાઇ પટેલનું નિધન થતા પીએમના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવી શકે છે. તેઓ દિલ્હીથી સીધા કેવડિયા જવાના બદલે ગાંધીનગર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. વડાપ્રધાનનો કાર્યક્રમ થોડો વહેલો કરીને સવારે 10 વાગ્યે સીધા જ ગાંધીનગર આવે તેવી શક્યતા છે. તેઓ ગાંધીનગર આવીને બાપાના પરિવારને મળીને સાંત્વના પાઠવે તેવી શક્યતા છે. કેશુભાઇ પટેલના પરિવારજનોને મળ્યા બાદ પીએમ મોદી કેવડિયા જઇ શકે છે. 
Oct 29,2020, 21:11 PM IST

Trending news