corona warriors
માતાના મર્યાના 6 કલાકમાં ફરજ પર લાગ્યા, વડોદરાના 2 તબીબોએ કોવિડ ડ્યુટીને પ્રાથમિકતા આપી
- વડોદરાના બે તબીબોની હૃદયસ્પર્શી ફરજ નિષ્ઠા...દિવંગત માતાના અંતિમ સંસ્કાર પૂરા કરી બંને તબીબો ફરી પાછા કોવિડ ડ્યુટીમાં જોડાઈ ગયા
સરકારની ચોખવટ, કોરોનાકાળમાં એક પણ સરકારી તબીબનું રાજીનામુ નહિ સ્વીકારાય
કોરોના કાળમાં એક પણ ડોક્ટરનું રાજીનામું નહિ સ્વીકારવાની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેરાત કરી છે. નીતિને પટેલે કહ્યું કે કેટલાક તબબીઓ રાજીનામાં આપ્યા છે. પરંતુ અમે એક પણ તબીબનું રાજીનામું સ્વીકાર્યું નથી. કોરોનામાં ડૉક્ટરોની જરૂર છે. એટલે એક પણ ડૉક્ટરના રાજીનામાનો સ્વીકાર નહીં કરવામાં આવે.
Mar 31, 2021, 11:24 AM ISTCorona Vaccine નો બીજો ડોઝ આજથી આપવામાં આવશે, જાણો કેટલા દિવસમાં તૈયાર થશે એન્ટીબોડી
રાજ્યમાં આજથી કોરોના વેક્સીનનો (Corona Vaccine) બીજો ડોઝ આપવાની શરૂઆત થઈ રહી છે. રાજ્યમાં જે કોરોના વોરિયર્સને (Corona Warriors) કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ (First Dose Of Corona Vaccine) આપવામાં આવ્યો હતો તેઓને આજથી બીજો ડોઝ આપવાનું શરૂ કરવામાં આવશે
Feb 15, 2021, 09:08 AM ISTVadodara: અમને વેક્સિન નહીં, ત્રણ મહિનાનો બાકી પગાર ચુકવો, આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા કર્મચારીઓની માંગ
આરોગ્ય કેન્દ્રોમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન ચુકવાતા ગુજરાત જનતા જાગૃતિ મંચના પ્રમુખ રજનીકાંત ભારતીય સહિત મોટી સંખ્યામાં કર્મચારીઓ વડોદરા વેક્સિનેશન સેન્ટર ખાતે આવેલ વિભાગીય નાયબ નિયામકની કચેરીએ ભુખ હડતાળ ઉપર બેઠા હતા.
Feb 3, 2021, 06:27 PM ISTઈન્જેક્શનના નામે થરથર કાંપતી મહિલા તબીબને વેક્સીન આપતા જોઈને હસવુ આવી જશે
- મહિલા ડોક્ટરને વેકસીન આપવા માટે તેમની પાસે ઉભેલા એક મહિલા નર્સે મોંઢું દબાવવું પડ્યું અને અન્ય એક મહિલા નર્સે ડોક્ટરને વેક્સીન આપી હતી. જેના ફોટો આપને નાના બાળકોને ઇન્જેક્શનના નામથી જે ડર પેદા થાય છે તેની યાદ આપવશે
ગુજરાતમાં આજથી બીજા તબક્કાની vaccination drive શરૂ, 3.3 લાખ કોરોના વોરિયર્સ vaccine લેશે
ગુજરાતમાં આજથી બીજા તબક્કાનું કોરોના રસીકરણ અભિયાન (vaccination drive) શરૂ થશે. આજે એક જ દિવસમાં એક લાખ લોકોના રસીકરણનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. રાજ્યના ગૃહવિભાગ, મહેસૂલ વિભાગ, પંચાયત તેમજ શહેરી વિકાસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓને રસી મૂકવામાં આવશે. બીજા તબક્કામાં કુલ 3.3 લાખ કર્મચારીઓને વેક્સીન (corona vaccine) આપવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં અઢી લાખ કોરોના વોરિયર્સને રસી આપવામાં આવી છે. જેમાં ડૉક્ટરો, પેરા મેડિકલ સ્ટાફનો સમાવેશ થાય છે.
Jan 31, 2021, 08:27 AM ISTઅમે તો કોવિડની રસી લીધી છે, તમે પણ લેજો, કોઈ આડઅસર નથી : ડોક્ટર
- અમદાવાદના સાઉથ વેસ્ટ ઝોનમાં તપન હોસ્પિટલ ખાતે રસીકરણ કેન્દ્રની મંજૂરી આપવામાં આવી છે. જેમાં દરરોજ 100 જેટલા લોકોને રસી આપવામાં આવી રહી છે. તો આવો જાણીએ કે રસી લેનારના અનુભવો શું કહે છે.
કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીએ વેકસીન લેવી કે નહિ? તમને મૂંઝવતા સવાલનો આ રહ્યો જવાબ
રાજ્યભરના તમામ 33 જિલ્લાઓ અને 8 મહાનગરપાલિકોઓના 161 વેક્સીનેશન (vaccination) સેન્ટર પર કોરોના વેક્સીન અભિયાન શરૂ કરાયું હતું. જે અંતર્ગત ગઈકાલે સાંજે 6 કલાક સુધીમાં અંદાજે ૧૧,૮૦૦ જેટલા કોરોના વોરિયર્સને રસી (Largest Vaccine Drive) આપવામાં આવી હતી. આજે પણ આ કામગીરી ચાલુ રહેશે. આ તમામ સેન્ટરો પર અંદાજે ૮૦ થી ૧૦૦ ટકા જેટલું કવરેજ પ્રાપ્ત થયુ છે અને આપવામાં આવેલ રસીથી એકપણ કોરોના વોરિયર્સને રસી (corona vaccine) ની કોઇ આડ અસર જોવા મળી નથી.
Jan 17, 2021, 11:03 AM ISTસુરતની નવી સિવિલ બહાર 500 કોરોના વોરિયર્સનો હોબોળો, કહ્યું-અમારો પગાર આપો
બે મહિનાથી પગારથી વંચિત સુરત નવી સિવિલના કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 500 જેટલા કોરોના વોરિયર્સે આજે હોસ્પિટલની બહાર મોરચો માંડ્યો છે. સવારથી આ તમામ કર્મચારીઓ હોસ્પિટલની બહાર મોરચો માંડીને બેસ્યા છે. જ્યા તેઓએ એક જ માંગણી કરી છે કે, આજે જ અમારો પગાર કરો. પગાર ન મળતા કામદારો હડતાળ પર ઉતર્યા છે. તો સાથે જ આજે જ પગાર આપવાની માંગ કરી રહ્યાં છે. છેલ્લા 15 દિવસ થી પગાર આપવાના વાયદા કરવામાં આવી રહ્યા છે. કર્મચારીઓના હોબાળાને પગલે સુરત પોલીસ પણ દોડતી થઈ છે.
Jan 6, 2021, 11:11 AM ISTવડોદરામાં વેક્સીનના ડીપ ફ્રીઝર આવ્યા, સૌથી પહેલા હેલ્થ વર્કર્સને અપાશે રસી
- વડોદરામાં કોરોનાની કામગીરીમાં સંકળાયેલા હોય તેવા કર્મચારીઓનું લિસ્ટ આરોગ્ય વિભાગને મોકલી અપાયું છે.
- આ રસી પહેલા કોને આપવી તે માટે પણ કમિટિ બનાવવામાં આવી છે.
કોરોના કેસ અંગે DyCM નીતિન પટેલની પ્રેસ કોન્ફરન્સ
Deputy CM Nitn Patel's Press Conference On Ahmedabad Corona Case
Nov 16, 2020, 03:05 PM ISTકોરોના વૉરિયરનું નવું વર્ષ: વડોદરાના ડોક્ટર શીતલ મિસ્ત્રી સાથે ખાસ વાતચીત
Special Interview With Dr Sheetal Mistry From Vadodara On ZEE 24 Kalak
Nov 15, 2020, 05:35 PM ISTકોરોના વૉરિયરનું નવું વર્ષ: SP હરેશ દૂધાત સાથે ZEE 24 કલાકની ખાસ વાતચીત
Special Interview With SP Haresh Dudhat On ZEE 24 Kalak
Nov 15, 2020, 04:40 PM ISTGujarat Corona update: રાજ્યમાં કોરોના નવા 1372 કેસ નોંધાયા, 15 લોકોના મોત
રાજ્યમાં કોરોનાની સ્થિતી દિવસેને દિવસે ગંભીર થતી જાય છે. આજે 1372 દર્દીઓ નોંધાયા હતા. તો બીજી તરફ 1289 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. જ્યારે રાજ્યમાં આજે 15 લોકોના કોરોનાથી મોત થયા છે. જો કે રાજ્યમાં કુલ કોરોના દર્દીઓનો આંક 1,27,541 પર પહોંચ્યો છે. જેમાં કુલ રિકવર દર્દીઓ 1,07,801 છે. આ સાથે કોરોનાથી દર્દીઓનો મૃત્યુઆંક 3,370 પર પહોંચ્યો છે.
Sep 23, 2020, 08:15 PM ISTઅમદાવાદ કલેક્ટર કચેરીમાં કરાઈ ‘એક્ઝામ-સેલ’ની રચના, જાણો શું છે કારણ
અમદાવાદ કલેક્ટર કચેરીમાં ‘એક્ઝામ-સેલ’ની રચના કરવામાં આવી છે. ‘એક્ઝામ-સેલ’ જિલ્લામાં યોજાતી 16થી વધુ પ્રકારની બોર્ડ પરીક્ષા, પ્રવેશ પરીક્ષા અને ભરતી પરીક્ષાઓના કેન્દ્રિયકૃત સંચાલન અને સંકલનની જવાબદારી સંભાળશે
Sep 23, 2020, 05:39 PM ISTવડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર, કોગ્રેસ-ભાજપના કાઉન્સિલરો થયા સંક્રમિત
ડોદરા કોર્પોરેશનમાં કોરોના કહેર જોવા મળી રહ્યો છે. વડોદરા કોંગ્રેસ-ભાજપના કાઉન્સિલરો કોરોના સંક્રમિત થયા છે. ભાજપ કોર્પોરેટર મનોરમાબેન ખરડેનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે
Sep 23, 2020, 05:02 PM ISTIPL 2020: વિરાટ બન્યો સિમરનજીત તો ડિવિલિયર્સ ચહલે પણ બદલ્યા નામ, જાણો શું ચાલી રહ્યું છે
RCB Players Tribute Corona Warriors: વિરાટ કોહલી (Virat Kohli)ની આગેવાની વાળી રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ટીમના પ્લેયર્સે કોરોના વોરિયર્સને અલગ અંદાજમાં સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે.પહેલા તો કોરોના જર્સી પર માઈ કોવિડ હીરોઝ લખવાની જાહેરાત કરવામાં આવી તો હવે પ્લેયરોએ પોત-પોતાના ટ્વિટર એકાઉન્ટનું નામ પણ વોરિયર્સના નામ પર બદલ્યું છે.
Delhi Capitals ની જર્સી કોરોના વોરિયર્સને કરાશે સમર્પિત, જર્સી પર લખ્યો હશે આ સંદેશ
દિલ્હી કેપિટલ્સના સીનિયર ફાસ્ટ બોલર ઇશાંત શર્મા, સ્પિનર અમિત મિશ્રા અને સહાયક કોચ મોહમંદ કૈફએ વર્ચુઅલ મીટમાં કેટલાક કોરોના યોદ્ધાઓ સાથે વાત પણ કરી જેમાં ડોક્ટર અને પોલીસ અધિકારીઓ સામેલ હતા.
Sep 19, 2020, 12:43 PM ISTકોરોનાથી દેશમાં 364 ડોક્ટરોના મૃત્યુ, આ મામલે સમગ્ર દેશમાં ગુજરાત ત્રીજા સ્થાને
ચીનના વુહાનમાંથી આવેલા કોરોના વાયરસે સમગ્ર દુનિયામાં તબાહી મચાવી છે. આ વાયરસથી અનેક લોકો સંક્રમિત થયા છે અને મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનો સામનો કરી રહેલા કોરોના વોરિયર્સ પણ તેનાથી બચી શક્યા નથી
Sep 18, 2020, 08:48 AM ISTકોરોના કોઈને છોડતો નથી, 2 મહિનામાં MBBSના 34 થી વધુ વિદ્યાર્થીઓ વાયરસની જાળમાં લપેટાયા
- ગુજરાતભરમાં MBBS નો અભ્યાસ કરતા 34 વિદ્યાર્થીઓ છેલ્લા બે મહિનામાં કોરોનાગ્રસ્ત થયા.
- સરકાર દ્વારા MBBS નો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ કોરોનાની ડ્યુટી સોંપવામાં આવી