Godhra st News

શ્રમીકો દિવાળી ટાણે પરત ફરી શકે તે માટે ગોધરા ST દ્વારા ખાસ સુવિધા
દિવાળી ટાણે માદરે વતન ફરતાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જીલ્લાના શ્રમિક પરિવારો અને અન્ય મુસાફરો માટે ગોધરા એસટી ડીવીઝન દ્વારા ખાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.ત્રણ જિલ્લાના સાત બસ ડેપો ખાતે સીત્તેર એસટી બસ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.જેના મારફતે દિવસ કે રાત્રિ દરમિયાન બહારગામથી આવતાં મુસાફરોને પોતાના વતનના નજીકના બસ સ્ટેન્ડ સુધી પહોંચાડવાનું  આયોજન કરવામાં આવ્યું છે.આ ઉપરાંત દિવાળી પર્વ પૂર્ણ થયા બાદ પણ શ્રમિકો અને અન્ય મુસાફરો માટે પરત જવા માટે પણ એક્સ્ટ્રા એસટી બસ દોડાવવાનું આગોતરુ આયોજન કરાયું છે.આ ઉપરાંત કોરોનાની ગાઈડ લાઇનને ધ્યાને લઈ સ્કેનિંગ, સોશ્યલ ડિસ્ટનસ જેવી બાબતોની કાળજી રાખવા માટે વ્યવસ્થા ઉભી કરવામાં આવી હોવાનું સંલગ્ન અધિકારી જણાવી રહ્યા છે પરંતુ મુસાફરો આ સુવિધાઓ ઉપલબ્ધ કરવા માંગ કરી રહ્યા છે.
Nov 12,2020, 22:42 PM IST

Trending news