India-Pakistan Conflict: ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર બંધ કરવા માટે કરાર થયો હતો, પરંતુ તણાવ ચાલુ છે. આ ઘટનાક્રમ બન્ને દેશો વચ્ચેના સંબંધોમાં ઊંડો અવિશ્વાસ અને પ્રાદેશિક સુરક્ષા પડકારોને ઉજાગર કરે છે.
Pakistan pm shehbaz sharif: પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફે રાષ્ટ્રને સંબોધનમાં તાજેતરના ભારત-પાકિસ્તાન તણાવ પર વાત કરી હતી. તેમણે કહ્યું કે દુશ્મને જે કર્યું તે શરમજનક હતું અને આપણી બહાદુર સેનાએ તેનો યોગ્ય જવાબ આપ્યો છે. શાહબાઝ શરીફે કહ્યું કે ભારતે પહેલગામનું બહાનું બનાવીને યુદ્ધ કર્યું, પરંતુ અમે સ્પષ્ટ કર્યું કે હવે બેઠક યુદ્ધના મેદાનમાં થશે. તેમણે લશ્કરી નેતૃત્વ અને સૈનિકોની પ્રશંસા કરી.
India-Pakistan Conflict: પાકિસ્તાનના પીએમનો દાવો છે કે, ભારતની કાર્યવાહીને કારણે અત્યાર સુધીમાં 26 લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. 40થી વધુ લોકો ઘાયલ થયા છે. તેમણે મૃતકોને "શહીદો" ગણાવ્યા અને કહ્યું કે, આખું પાકિસ્તાન આ શહીદોની સાથે ઉભું છે.