Jnu News

કનૈયા કુમાર પર ચાલશે દેશદ્રોહનો કેસ, ટુકડે ટુકડે ગેંગ સામે ZEE NEWS ની જીત
જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટીમાં દેશ વિરોધી નારા લગાવવાનાં મુદ્દે ટુકડે ટુકડે ગેંગને મોટો ઝટકો લાગ્યો છે. આ મુદ્દે આરોપી કન્હૈયા કુમાર પર હવે દેશદ્રોહનો કેસ ચાલશે. દિલ્હીની કેજરીવાલ સરકારે ગૃહ વિભાગને દિલ્હી પોલીસને કનૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહનો કેસ ચલાવવાની પરવાનગી આપી છે. દિલ્હી સરકારે દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલને કનૈયા વિરુદ્ધ દેશદ્રોહની વિવિધ કલમ હેઠળ કેસ ચલાવવા માટેની પરવાનગી આપી દીધી છે. આ ફાઇલ દિલ્હી સરકારનાં ગૃહ વિભાગ પાસે હતી. જેએનયુ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમાર પર વર્ષ 2016માં જેએનયુ પરિસરમાં લગાવાયેલા ભારત વિરોધી નારાઓ અને નફરત ફેલાવવાનાં આરોપમાં દિલ્હી પોલીસે એક વર્ષ પહેલા આરોપપત્ર દાખલ કર્યું હતું. આ મુદ્દો સૌથી પહેલા ZEE NEWS દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
Feb 28,2020, 20:16 PM IST

Trending news