Loksabha election 2019 result News

અમદાવાદની આ ઓરડી સાથે PM મોદીને છે ખાસ નાતો, જાણો શું છે રસપ્રદ વાત
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Modi) લોકસભાની ચૂંટણીમાં (Lok sabha Election 2019) પ્રચંડ વિજય મેળવ્યા પછી પહેલીવાર ગુજરાતની (Gujarat) મુલાકાતે આવી પહોંચ્યા. ભાજપના (BJP) ખાનુપર કાર્યાલય ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જૂના સંસ્મરણો યાદ કર્યા. જોકે આ પ્રસંગે તેઓ ગુજરાતના તમામ લોકોનો આભાર માનવાનું ચૂક્યા ન હતા. ગુજરાતમાં અનેક સ્થળોએ પીએમ મોદીની બાળપણ, યુવાનીકાળ તથા આરએસએસના કાર્યકર્તા તરીકે અનેક સ્થળોએ મીઠી યાદ બનાવી છે. તેમાનું એક છે અમદાવાદનું જગન્નાથ મંદિર. અમદાવાદના ખાનપુર કાર્યાલય સાથે નરેન્દ્ર મોદીની જૂની યાદો છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલ પ્રખ્યાત જગન્નાથ મંદિરના એક રૂમમાં નરેન્દ્ર મોદીએ પોતાનો શરૂઆતનો સમય વીતાવ્યો હતો. નરેન્દ્ર મોદી જગન્નાથ મંદિરમાં સેવા કરતા હતા અને અહીં જ રહેતા હતા.
May 27,2019, 10:54 AM IST

Trending news