Nrc News

CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાનો પ્રયાસ, શું કહ્યું પોલીસે....
IB ના સ્ફોટક રિપોર્ટના આધારે માનીએ તો વડોદરાની શાંતિ મૃગજળ જેવી ભ્રામક છે અને સીએએના વિરોધમાં ગમે ત્યારે વિરોધ વંટોળ આવી શકે છે. જોકે CAA-NRC વિરોધની આડમાં શહેરમાં કોમી તોફાનો ભડકાવવાના છેલ્લા અઢી મહિનામાં બે પ્રયાસો થઈ ચૂક્યા છે. સમગ્ર મામલે ડીસીપી જયદીપસિંહ જાડેજાએ કહ્યું કે, અમે શહેરમાં શાંતિ જળવાઈ રહે તે માટે તમામ પ્રયાસો અને પોલીસ સુરક્ષા ગોઠવી રહ્યા છે. સીસીટીવી હટાવવાની વાતમાં એ ખાનગી ચેનલના સીસીટીવી વાયરો હટાવાઈ રહ્યા હતા. અમે તમામ સંવેદનશીલ વિસ્તારમાં કાર્યરત છીએ અને સોશિયલ મીડિયામાં મેસેજ કરનારની ધરપકડ કરીશું. શહેરમાં શાંતિ જળવાઈ રહે માટે શાંતિ સમિતિની બેઠક પણ ગોઠવી દેવાઈ છે.
Feb 29,2020, 16:00 PM IST
‘મુસલમાનોને આઝાદી સમયે જ પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા, આપણા પૂર્વજોએ ભૂલ કરી...’
કેન્દ્રીય મંત્રી ગિરીરાજ સિંહે (Giriraj Singh) એકવાર ફરીથી વિવાદિન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, વર્ષ 1947માં તમામ મુસલમાનો (muslim) ને પાકિસ્તાન મોકલી દેવા જોઈતા હતા. આપણા પૂર્વજોની આ સૌથી મોટી ભૂલ હતી. જેનું પરિણામ આજે આપણે ભોગવી રહ્યાં છે. ગુરુવારના દિવસે બિહારના પુર્ણિયામાં મીડિયા કર્મચારીઓની સંબોધિત કરતા તેમણે કહ્યું કે, નાગરિકતા કાયદાના નામ પર દેશમાં ભારત વિરોધી એજન્ડા ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે શરજીલ ઈમામના વિવાદિત નિવેદન પર પ્રતિક્રીયા આપતા કહ્યું કે, આ નિવેદન લોકતાંત્રિક નહિ, પરંતુ વિરોધી આંદોલન છે. ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે અસુદ્દીન ઔવેસીની રેલીમાં એક યુવતીએ પાકિસ્તાન સમર્થિત નારા લગાવ્યા હતા. તો શરલીજ ઈમામે આસામને ભારતથી અલગ કરવા તથા જેએનયુના ટુકડા-ટુકડાના નારાને જોડી ગિરીરાજ સિંહે આ પ્રતિક્રીયા આપી છે. 
Feb 21,2020, 12:26 PM IST

Trending news