વર્ચુઅલ કબ્રસ્તાન બનતું જાય છે FACEBOOK, દરરોજ મોતને ભેટી રહ્યા છે 8 હજાર યૂજર્સ!

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દરરોજ 8,000 લોકો મૃત્યું પામે છે. આ સદીના અંત સુધી ફેસબુક દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન હશે, કારણ કે અહીં જીવિત લોકોથી વધુ મૃત્યું પામેલા લોકોની પ્રોફાઇલ હશે. ફેસબુક વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંનું ફક્ત એક પ્લેટફોર્મ છે. કરોડો ઉપયોગકર્તા ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નૈપચેટ, રેડિટ અને અન્ય એપ્સનો ઉપયોગ કરે છે.
વર્ચુઅલ કબ્રસ્તાન બનતું જાય છે FACEBOOK, દરરોજ મોતને ભેટી રહ્યા છે 8 હજાર યૂજર્સ!

નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર દરરોજ 8,000 લોકો મૃત્યું પામે છે. આ સદીના અંત સુધી ફેસબુક દુનિયાનું સૌથી મોટું કબ્રસ્તાન હશે, કારણ કે અહીં જીવિત લોકોથી વધુ મૃત્યું પામેલા લોકોની પ્રોફાઇલ હશે. ફેસબુક વિભિન્ન સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાંનું ફક્ત એક પ્લેટફોર્મ છે. કરોડો ઉપયોગકર્તા ટ્વિટર, ઇંસ્ટાગ્રામ, વોટ્સઅપ, સ્નૈપચેટ, રેડિટ અને અન્ય એપ્સનો ઉપયોગ કરે છે.

ફેસબુકના લગભગ બે અરબ યૂજર્સ છે, વોટ્સઅપના 1.5 અરબ, ઇંસ્ટાગ્રામના એક અરબ અને ટ્વિટરના 33.6 કરોડ યૂજર્સ છે, જેમાંથી કરોડો યૂજર્સ ભારતમાંથી છે. ડિજિટલ પ્લેટફોર્મ્સ પર મોટાભાગો સમય પસાર કરવા છતાં, આપણામાંથી ઘણા લોકો હકિકતમાં વિચાર કરે છે કે આપણા મૃત્યું બાદ આપણા ડિજિટલ એકાઉન્ટનું શું થશે. 

મોટો પ્રશ્ન એ છે કે ડિજિટલ પ્લેટફોર્મ્સના યૂજર્સની મોત બાદ પ્લેટફોર્મે તેના એકાઉન્ટની અંગત ફોટા, વીડિયોઝ અને ફ્રેંડ્સની પોસ્ટ જેવી ડિજિટલ સંપત્તિઓ તેમના પરિવારને સ્થળાંતરિત કરવાની જરૂરિયા કેવી રીતે ખબર પડે. દેશના ટોચના સાયબર વિધિ વિશેષજ્ઞોમાંથી એક પવન દુગ્ગ્લ કહે છે કે જ્યારે કોઇનું મોત નિપજે છે અને તેના ઇમેલ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ હોય છે, તે સ્થળાંતરણ યોગ્ય સંપત્તિ છે અને સંબંધિત વ્યક્તિનો કોઇ વારસો તેમને ઓપરેટ કરવાની પરવાનગી લઇ શકે છે. 

ફેસબુક પોતાના ઉપયોગકર્તાને એક વસીયત કરાર મંજૂરી આપે છે, જેના હેઠળ તેની મૃત્યું બાદ તેનું એકાઉન્ટ ચલાવવા માટે તે કોઇ પારિવારિક સભ્ય અથવા મિત્રને સિલેક્ટ કરે છે. ફેસબુકનું કહેવું છે કે જ્યારે કોઇ અમને જણાવે છે કે કોઇ વ્યક્તિનું મોત નિપજ્યું છે તો અમે તેના યાદને યાદગાર બનાવી દઇએ છીએ.

વસીયત કરાર મંજૂરી હેઠળ મૃતકના વારસદાર તેના ફેસબુક એકાઉન્ટની ટાઇમલાઇન પર એક પોસ્ટ લખી શકે છે. તે પોસ્ટ જો કોઇ લાઇક કરે છે તો તે મૃતકના ખાતાના ફોટા, પોસ્ટ અને પ્રોફાઇલની જાણકારી ડાઉનલોડ કરવા માટે વારસાદારની પરવાનગી લેવી પડશે. વારસદાર જોકે મૃતકના એકાઉન્ટમાં લોગ ઇન કરી શકશે નહી અને ના તો તેના અંગત મેસેજ વાંચી શકશે. વૈકલ્પિક રીતે તમે ફેસબુકને આ વાત જણાવી શકો છો કે મૃત્યું બાદ તેનું એકાઉન્ટ કાયમી માટે ડિલેટ કરી શકાય. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news