Pahalgam Attack: ભારત સરકારની પાકિસ્તાન પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક! અનેક ખ્યાતનામ યુટ્યુબ ચેનલ્સને કરી બ્લોક

India Bans Pakistani Youtube Channels: જમ્મુ અને કાશ્મીરમાં થયેલા આતંકી હુમલામાં 26 નિર્દોષ ભારતીય નાગરિકોના જીવ ગયા. ભારત સરકાર એક પછી એક મોટી કાર્યવાહી કરી રહી છે અને હવે પાકિસ્તાનની અનેક જાણીતી યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તરની ચેનલ પણ સામેલ છે. 

Pahalgam Attack: ભારત સરકારની પાકિસ્તાન પર મોટી ડિજિટલ સ્ટ્રાઈક! અનેક ખ્યાતનામ યુટ્યુબ ચેનલ્સને કરી બ્લોક

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે મોટી કાર્યવાહી ક રતા 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારી સૂત્રો મુજબ આ ચેનલ ભારત, ભારતીય સેના અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ભડકાઉ, સાંપ્રદાયિક તણાવ ફેલાવનરી, અને ખોટું કન્ટેન્ટ ફેલાવતા હતા. આ યાદીમાં પૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર સહિત અનેક પાકિસ્તાની પ્રખ્યાત યુટ્યુબ ચેનલો સામેલ છે જેના 3.5 મિલિયનથી વધુ સબસ્ક્રાઈબર છે. 

અનેક મોટી ચેનલ્સ સામેલ
પ્રતિબંધિત કરાયેલી ચેનલ્સના કુલ સબસ્ક્રાઈબર લગભગ 6.3 કરોડ છે. તેમાં પાકિસ્તાનની અનેક મોટી ન્યૂઝ ચેનલ્સ જેમ કે Dawn News, Samaa TV, ARY News, Bol News, Raftar, Geo News અને Dawn News, Samaa TV, ARY News, Bol News, Raftar, Geo News અને Suno News સામેલ છે. આ ઉપરાંત પાકિસ્તાની પત્રકારો જેમ કે ઈરશાદ ભટ્ટી, અસમા શિરાજી, ઉમર ચીમા, અને મુનિબ ફારુકના યુટ્યુબ ચેનલ્સ પણ ભારતીય  દર્શકો માટે બ્લોક કરાયા છે. અન્ય પ્રતિંબધ મૂકાયેલી ચેનલોમાં The Pakistan Reference, Samaa Sports, Uzair Cricket અને Razi Naama પણ સામેલ છે. 

— ANI (@ANI) April 28, 2025

આપતા હતા ખોટી જાણકારી
સરકારી સૂત્રોનું કહેવું છે કે આ કાર્યવાહી ભારતીય ગૃહ મંત્રાલયની ભલામણના આધારે કરાઈ છે. તપાસમાં જાણવા મળ્યું કે આ ચેનલ્સ પહેલગામ હુમલા બાદ ખોટી જાણકારી, ખોટું નરેટિવ અને સાંપ્રદાયિક તણાવ ભડકાવનારું કન્ટેન્ટ ફેલાવી રહ્યા હતા. નોંધનીય છે કે 22 એપ્રિલના રોજ બેસરન ઘાટીમાં થયેલા આ આતંકી હુમલામાં 25 ટુરિસ્ટ અને એક સ્થાનિક આતંકીની નિર્દયતાથી હત્યા કરાઈ હતી. 

દેખાશે આ મેસેજ
જો કોઈ ભારતીય યૂઝર આ પ્રતિબંધિત ચેનલ્સને એક્સેસ કરવાની કોશિશ કરશે તો યુટ્યુબ પર એક મેસેજ જોવા મળી રહ્યો છે કે "આ  કન્ટેન્ટ આ દેશમાં ઉપલબ્ધ નથી કારણ કે સરકારે રાષ્ટ્રીય સુરક્ષા કે લોક વ્યવસ્થા હેઠળ તેને હટાવવાનો આદેશ આપ્યો છે. વધુ જાણકારી માટે ગૂગલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ જુઓ."

ભારત સરકારે આ સાથે જ બીબીસીને પણ તેના પહેલગામ હુમલા પર કરાયેલા રિપોર્ટિંગ બદલ ફટકાર લગાવી છે. સરકારે બીબીસી દ્વારા આતંકીઓને મિલિટન્ટ્સ કહેવા પર આકરી આપત્તિ જતાવી છે. બેસરન ઘાટીમાં નિર્દોષ લોકોની હત્યાને મિલિટન્ટ એટેક કહેવો એ સરકારને ખોટું અને ભ્રામક લાગ્યું. આ મુદ્દે ભારત સરકારે બીબીસી ઈન્ડિયા હેડ જૈકી માર્ટિનને એક કડક શબ્દોમાં પત્ર લખ્યો છે અને કહ્યું કે બીબીસીના આગાળના રિપોર્ટિંગ ઉપર પણ નજર રાખવામાં આવશે. 

બીબીસીના રિપોર્ટમાં “Pakistan suspends visas for Indians after deadly Kashmir attack” ટાઈટલ હેઠળ આતંકવાદી હુમલાને ફક્ત 'મિલિટેન્ટ એટેક' ગણાવ્યો જે ભારત સરકારને ખુબ આપત્તિજનક લાગ્યું. સરકારે સ્પષ્ટ કર્યું કે આ પ્રકારની ભાષાથી સચ્ચાઈને ખોટી રીતે રજૂ કરવામાં આવે છે જે સ્વીકાર્ય નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news