coronavirus ની મહામારી સામે આખી દુનિયા ઝઝૂમી રહી છે. ભારત પણ હવે તેની સંકટથી દૂર નથી. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના સંક્રમણથી 200થી વધુ લોકો પીડાઈ રહ્યાં છે અને દેશમાં પાંચ લોકોના મોત થઈ ચૂક્યા છે. જયપુરની હોસ્પિટલમાં આજે ઈટાલિયન નાગરિકે દમ તોડ્યો છે. લખનઉમાં ચાર નવા કેસ સામે આવ્યા છે. ત્યારે હાલના સૌથી મોટા અપડેટ એ છે કે, મહારાષ્ટ્ર (Maharastra) ના ચાર શહેરો લોકડાઉન કરાયા છે.