દેશમાં દિવસેને દિવસે વાહનોની સંખ્યા સતત વધી રહી છે.
વધતી જનસંખ્યા સાથે દેશમાં વાહનોની સંખ્યા ખુબ વધી ગઈ છે.
વાહનોની વધતી સંખ્યાને કારણે પેટ્રોલ પંપ પણ જરૂરી બની ગયા છે.
આજના સમયમાં ઘણા લોકો પેટ્રોલ પંપ ખોલવા માટે ઈચ્છુક હોય છે. તો આવો જાણીએ તમે કઈ રીતે પેટ્રોલ પંચ ખોલી શકો છો.
પેટ્રોલ પંચ ખોલવા માટે લાયસન્સની જરૂર પડે છે. તમે સરકારી અને ખાનગી કંપનીઓના માધ્યમથી પેટ્રોલ પંચને ખોલવાનું લાયસન્સ લઈ શકો છો.
લાયસન્સ માટે કંપનીઓ દ્વારા જણાવવામાં આવેલા નિયમો અને શરતો પૂરી કર્યાં બાદ અરજી કરી શકાય છે.
પેટ્રોલ પંપ ખોલવા માટે અરજીકર્તાની ઉંમર 21થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જો તમે પંપ સ્ટેટ કે નેશનલ હાઈવે પર ખોલવા ઈચ્છો છો તો તે માટે તમારે 1200થી 1600 વર્ગમીટર વચ્ચે જમીન હોવી જોઈએ.
જે લોકો પાસે ભાડાની જમીન છે, તેની પાસે જમીનનો એગ્રીમેન્ટ હોવો જરૂરી છે. આ સિવાય પેટ્રોલ પંપ ખોલવા માટે 15થી 20 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે.
તમને જણાવી દઈએ કે પેટ્રોલ પંપ કંપની તમારી આ રકમમાંથી તમને પાંચ ટકા પરત આપશે.
પેટ્રોલ પંપ માટે અરજી કરવા માટે આધાર કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, પાન કાર્ડ, ફોટો, જમીનના નક્શાના દસ્તાવેજ, જમીન લીઝ એગ્રીમેન્ટ અને બેન્ક પાસબુક જેવા દસ્તાવેજોની જરૂર પડે છે.