છોલે ખાવા બધાને પસંદ હોય છે પરંતુ ઘણી વખત છોલે ખાધા પછી પેટમાં ગેસ, કબજિયાત, પેટ ફૂલવા જેવી સમસ્યા થઈ જાય છે.
ચણા ખાધા પછી ઘણા લોકોને પેટમાં દુખાવો પણ રહેતો હોય છે. જેનું મુખ્ય કારણ ગેસ હોય છે.
જો તમે ચણા બાફતી વખતે તેમાં કેટલીક વસ્તુઓ ઉમેરી દો તો ચણા ખાધા પછી ગેસ ક્યારેય નહીં થાય.
ચણા બાફો ત્યારે તેમાં તમાલપત્ર ઉમેરી દેવા જોઈએ.
ચણામાં તજના ટુકડા ઉમેરીને બાફવાથી પણ ગેસ થતો નથી.
ચણામાં ચપટી હિંગ ઉમેરીને તેને બાફશો તો કબજિયાતની તકલીફ નહીં થાય.
જો ચણા ખાધા પછી તેનું પાચન થતું ન હોય તો બાફતી વખતે તેમાં બે ચમચી લીંબુનો રસ ઉમેરી દેવો.
ચણા બાફો તે પહેલા આઠથી દસ કલાક સુધી તેને પાણીમાં પલાળી રાખવા જોઈએ.