આજકાલ અનહેલ્ધી લાઈફસ્ટાઈલના કારણે લોકો વધતા વજનથી ખુબ પરેશાન છે.
હળદરવાળું પાણી સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક ગણાય છે. વજન ઉતારવામાં તે કેવી રીતે મદદરૂપ છે તે જાણો.
હળદરમાં એન્ટી બેક્ટેરિયલ, એન્ટીફંગલ, એન્ટી ઈન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સીડેન્ટ્સના ગુણ મળી આવે છે.
સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે હળદરવાળું પાણી પીવું જોઈએ. ડાયેટિશિયન શિખા અગ્રવાલ શર્મા પાસેથી જાણીએ હળદરવાળા પાણી પીવાના ફાયદા.
હળદરને હૂંફાળા પાણીમાં નાખીને ચાની જેમ તેનું સેવન કરો.
સવારે ખાલી પેટે હળદરવાળું પાણી પીવાથી વજન ઘટી શકે છે
હળદરવાળું પાણી પીવાથી પાચન સંલગ્ન સમસ્યાઓ પણ દૂર થાય છે. જેમ કે ગેસ.
હળદરમાં એન્ટી ઈન્ફ્લેમેટરીના ગુણ મળી આવે છે જેના કારણે સંધિવામાં રાહત મળે છે.
અહીં અપાયેલી માહિતી એક્સપર્ટની સલાહ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ જાણકારીને અમલમાં લેતા પહેલા સંબંધિત વિશેષજ્ઞની સલાહ ચોક્કસ લેવી.