ખરાબ લાઇફસ્ટાઇલને કારણે લોકો બીમારીનો શિકાર બને છે. તેમાંથી એક કોલેસ્ટ્રોલની સમસ્યા પણ છે.
કોલેસ્ટ્રોલ વધવા પર દવાની સાથે તમે ઘરેલુ ઉપાય પણ અજમાવી શકો છો.
ભારતમાં શોખથી પાન ખાવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો નાગરવેલનું પાન સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોય છે.
નાગરવેલના પાનમાં અલ્કેલાઇડ, ટેનિન અને પ્રોપેન હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે આ પાન ખુબ અસરકારક છે.
નાગરવેલના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે લીવરના સ્વાસ્થ્ય માટે ખુબ સારૂ છે.
નાગરવેલનું પાન કોલેસ્ટ્રોલ ઘટાડવાની સાથે બ્લડ પ્રેશરને પણ ઘટાડે છે.
તમારે માત્ર નાગરવેલના પાનનું સેવન કરવું જોઈએ. તેમાં તંબાકુ કે સોપારી ન નાખવી જોઈએ.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.