એલચીને મસાલાની રાણી કહેવામાં આવે છે કારણ કે એલચીની સુગંધ અને સ્વાદ કમાલનો હોય છે.
એલચીમાં પોટેશિયમ, એન્ટીઓક્સીડેન્ટ્સ અને કેલ્શિયમ જેવા પોષક તત્વો ભરપૂર હોય છે.
ડાયાબિટીસમાં એલચીનું સેવન ખુબ ફાયદાકારક માનવામાં આવે છે.
એલચીનો ગ્લાઇસેમિક ઈન્ડેક્સ 30 હોય છે, જેના કારણે એલચી બ્લડ સુગર લેવલને વધવા દેતી નથી.
એલચી પાઉડરનું સેવન કરવાથી ઇંસુલિન સેન્સિટિવિટી વધી શકે છે.
એલચીમાં રહેલ પોટેશિયમ બ્લડ સુગરને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે.
ડાયાબિટીસના દર્દી એલચીની ચાનું સેવન કરી શકે છે. તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
ચા બનાવવા માટે એક કપ પાણી ગરમ કરો. ત્યારબાદ તેમાં એલચી નાખો. જ્યારે પાણી થોડું લીલું થઈ જાય તો તેનું સેવન કરો.
આ સ્ટોરીમાં આપવામાં આવેલી સ્વાસ્થ્ય સંબંધી જાણકારી માત્ર સામાન્ય માહિતી છે. કોઈપણ સ્વાસ્થ્ય સમસ્યા માટે હંમેશા ડોક્ટરની સલાહ લો.